Desi Ghee benefits: ડાયાબિટીસ એવી બીમારી છે જેને મટાડી શકાતી નથી. ડાયટ અને દવાની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી જરૂરી છે અને તેની સાથે જ ડાયટમાં પણ ધ્યાન રાખવું પડે છે.
તમે ડાયટમાં કેટલાક સામાન્ય ફેરફાર કરીને પણ બ્લડ સુગરને નોર્મલ રાખી શકો છો. આજે તમને જણાવીએ કે દેશી ઘી ની મદદથી બ્લડ સુગર લેવલને કેવી રીતે નોર્મલ રાખી શકાય?

બ્લડ સુગર કંટ્રોલ કરશે દેશી ઘી
ઘી માં હેલ્થી ફેટ હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. ઘી માં એવા પોષક તત્વ હોય છે જે હાર્ટ હેલ્થ પણ સુધારે છે. એટલું જ નહીં ઘી બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે. દેશી ઘી નું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટીવીટી વધે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ઘી માં રહેલા પોષક તત્વો
ઘીમાં વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી, એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરના સોજા દૂર કરવામાં પણ મદદ કરે છે. ઘીનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઘી માં કાર્બોહાઈડ્રેટ નથી હોતા તે કાર્બ ફ્રી હોવાથી શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઈક નથી થતું.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઘીનું સેવન કેવી રીતે કરવું?
ડાયાબિટીસના દર્દીઓ જો ભાત ખાતા હોય તો તેમણે ગરમ ભાતમાં એક ચમચી ઘી મિક્સ કરીને ખાવું જોઈએ. રોટલીમાં પણ ઘી લગાડીને ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી નથી વધતું. ડાયાબિટીસમાં રોજ બે થી ત્રણ ચમચી દેશી ઘી ખાઈ શકાય છે. ઘી સવારે નાસ્તા અને બપોરે જમવામાં સામેલ કરી શકાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










