× Special Offer View Offer

અંત્યેષ્ઠી સહાય યોજના: અચાનક આવી પડેલ આફત સામે ટકી રહેવા ગુજરાત સરકારની નવી યોજના, જાણો કોને મળે છે લાભ…

WhatsApp Group Join Now

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોકોના કલ્યાણ માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે અંત્યેષ્ઠી સહાય યોજના.

આ યોજનાનો હેતુ શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલ આફત સામે ટકી રહેવા મદદરૂપ થવા માટે ચલાવવામાં આવે છે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને રૂ. 10,000/- ની આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે.

આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ સરળ બનાવવાનું લક્ષ્‍ય ધરાવે છે. આ સામાન્ય યોજના સંપૂર્ણપણે સ્વભંડોળથી ચલાવવામાં આવે છે. આ ઉપરાંત વૃદ્ધ સહાય મેળવતાં સિનિયર સિટિઝનનું અવસાન થતાં તેના વારસદારને પણ એકવાર રૂ. 5000 આર્થિક સહાય મળે છે.

આ યોજનામાં સિનિયર સિટિઝનને નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય તેવા વૃદ્ધોનું જો અવસાન થઈ જાય તો તેમના પરિવારમાંથી વારસદારને આ સહાય આપવામાં આવશે. જેથી કરીને તેઓ તેમના માતા-પિતાની મરણોત્તર ક્રિયા કરી શકે.

સૌથી પહેલા વાત કરીએ શ્રમયોગીના કુટુંબને આપવામાં આવતી સહાય વિશે તો, બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું ચાલુ મેમબરશીપ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસરના ઉત્તરાધિકારીને આર્થિક સહાય પુરી પાડવાના હેતુથી અંતયેષ્ઠિ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટેની શરતો

  • જે શ્રમયોગીનો કારખાના/કંપની/ સંસ્થા દ્વારા લેબર વેલ્ફેર ફંડ બોર્ડમાં જમા કરવામાં આવેલ હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • શ્રમયોગી નોકરીમાં દાખલ થાય તેના પછીના દિવસથી સદર યોજનાનો લાભ આપવામાં આવશે.
  • શ્રમયોગીના મુત્યુ તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજી દફતરે કરવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત શ્રમયોગીનું કારખાનામાં થયેલ અકસ્માતથી થયેલ મુત્યુના કિસ્સામાં નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા અકસ્માતનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. તેમજ કારખાના/કંપની/સંસ્થા બહાર અકસ્માતથી મુત્યુના કિસ્સામાં સબંધિત કારખાના/કંપની/સંસ્થાના માલિક/મેનેજર દ્વારા એફિડેવીટ રજૂ કરવાની રહેશે.
  • માંદગીને લીધે અથવા અન્ય કુદરતી રીતે મૃત્યુ થાય તો આ યોજનાનો લાભ મળશે નહીં.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • અરજદારની બેંકની વિગત (વારસદારની બેંક પાસબુક)
  • ઓળખ પત્ર
  • બેંક પાસબુક / કેન્સલ ચેક
  • મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો
  • રેશન કાર્ડ
  • વારસદારનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
  • આધાર કાર્ડ
  • પ્રથમ વારસદાર અંગેનો પુરાવો
  • મૃતકનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
  • મરણનું પ્રમાણપત્ર
  • વારસદાર અને શ્રમિકનો ઓળખનો પુરાવો
  • સોગંદનામું

કઈ રીતે કરવી અરજી?

આ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવા માટે https://sanman.gujarat.gov.in/ પર જવું પડશે અને જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવું.

હવે વાત કરીએ વૃદ્ધ સહાય મેળવતાં સિનિયર સિટિઝનનું અવસાન થતાં તેના વારસદારને મળનાર સહાય વિશે, તો આમાં એકવાર રૂ.5000 આર્થિક સહાય મળે છે.

સરકાર દ્રારા આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે, જે પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેવા પરિવારમાં જયારે કોઈ વૃદ્ધનું મરણ થાય છે. ત્યારે આવા પરિવારોને સહાય મળી રહે જેથી તે તેમના માતા-પિતાની મરણોત્તર ક્રિયા સારી રીતે કરી શકે.

અંત્યેષ્ટિ સહાય યોજનાનો લાભ કોને મળશે?

  • મૃત્યુ પામેલ વૃદ્ધ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • મૃત્યુ પામેલ વૃદ્ધ નિરાધાર વૃદ્ધ સહાય અને વૃદ્ધ રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ.
  • અરજદાર મરણ પામેલ વૃદ્ધના સીધી લીટીનાં વારસદાર હોવા જોઈએ.
  • સિનિયર સીટીઝન નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય તેવા વૃદ્ધોનું અવસાન થાય તો 1 વર્ષની અંદર આ સહાય તેઓનાં વારસદારને મળવાપાત્ર છે.
  • જો પતિ-પત્ની વૃદ્ધ પેન્શન યોજના મેળવતા હોય અને તેમાંથી કોઈ એકનું અવસાન થાય, તો આ યોજનાની અરજી કરવાનો અધિકાર પતિ કે પત્નીને રહેશે. અને જો આ બંનેમાંથી કોઈ હયાત ન હોય તો તેઓના વારસદાર અરજી કરી શકે છે.

અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કરવા માટે ડોક્યુમેન્‍ટ

  • અરજદારના આધારકાર્ડની નકલ.
  • રેશન કાર્ડની નકલ
  • મૃત્યુ પામેલ વૃદ્ધના અવસાનનું પ્રમાણપત્ર
  • મૃત્યુ પામેલ વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેતા હતા તેના આધાર પુરાવા
  • મૃત્યુ પામેલ વૃદ્ધ સહાય યોજનાની સહાય જે ખાતામાં જમાં થતી હતી તે બેંકનાં ખાતાની પાસબુકની નકલ
  • જો એકથી વધુ વારસદાર હોય તો તેવા કિસ્સામાં અરજદારના પક્ષમાં સંમતિપત્રક અરજી સાથે જોડવાનું રહેશે.
  • અરજદારના બેંક પાસબુકની નકલ
  • અરજદારનો મોબાઈલ નંબર

અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે અરજી esamajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરાવવાની રહેશે. અથવા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ અરજદારના બેંકના ખાતામાં 60 દિવસ સુધીમાં DBT દ્વારા સહાયના પૈસા જમા કરી દેવામાં આવશે.

WhatsApp Group Join Now

Leave a Comment