ગુજરાતમાં પાણીના તળ બહુ જ ઊંડા જઈ રહ્યાં છે. બેફામ રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાાઓમાં થઈ રહ્યો છે. લોકો મનફાવે તેમ ગુજરાતની ધરતીમાંથી પાણી ઉલેચી રહ્યાં છે. પરંતું એક અહેવાલ તમને આ પાણી ન પીવા મજબૂર કરી દેશે.
હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના અનેક શહેરના ભૂગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ મળી આવ્યું છે. આ પ્રમાણ કંઈ નાનું અમથુ નથી. ગુજરાતીઓને કેન્સર થઈ શકે તેટલું આ પ્રમાણ છે.

આવું પાણી પીતા નહિ…
ગુજરાતના 33 માંથી 23 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ કન્ટાઈન્ટમેન્ટનું પ્રમાણ મળી આવ્યું છે. આ પ્રમાણ 45 મિલીગ્રામથી વધારે હોવાનો ભારત સરકારનો નવો રિપોર્ટ કહે છે.
એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયા ખર્ચીને જળસંચય અભિયાન ચલાવે છે. પરંતું તેમ છતાં ગુજરાતીઓના નસીબમાં ચોખ્ખુ અને સ્વચ્થ પાણી પીવાનું નથી.
શું કહે છે રિપોર્ટ?
ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે એક રિપોર્ટમાં જાહેર કર્યું કે, વર્ષ 2018 માં ગુજરાતના 21 જિલ્લાઓ એવા હતા જેમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે હતું. તે વર્ષ 2020 માં વધીને 23 જિલ્લા થઈ ગયા છે. એટલે કે, 33 માંથી 23 જિલ્લાઓનું પાણી પીવાલાયક નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ જિલ્લાના ભૂગર્ભજળના પાણીમાં નાઈટ્રેટનું પ્રમાણ વધારે છે. પાણીમાં નાઈટ્રેટ મળી આવવાનું કારણ ખેતીમાં કૃત્રિમ નાઈટ્રોજનયુક્ત ખાતરનો વધારે પડતો ઉપયોગ, અને પીવાના પાણીમાં ગટરના પાણીનું ભળી જવાનું છે.
નાઈટ્રેટયુક્ત પાણીથી શું થાય?
આવું પાણી પીવાથી માણસોને બહુ જ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. નાઈટ્રેટવાળું પાણી પીવાથી ગેસ્ટ્રીક કેન્સર, હાઈપર ટેન્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આ પાણીથી ખોડખાંપણવાળા બાળકો પણ થઈ શકે છે. આવા પાણીથી હાર્ટ, ફેફસાંની સમસ્યા ધરાવતા નાગિરકોને વધુ બીમારી આવવાની શક્યતા છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.