સ્વર્ગ કે નરકમાં આત્મા કેટલા દિવસ રહે છે તેના વિશે જાણીએ. જો કોઈ વ્યક્તિએ સારા કર્મ કર્યા છે. તો મૃત્યુ બાદ તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. જ્યાં સુધી તેના સારા કાર્યોના ફળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ત્યાં જ રહે છે. જ્યારે પુણ્ય ખતમ થઈ જાય છે, ત્યારે વ્યક્તિએ ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડે છે.
શાસ્ત્રોમાં વર્ણન: શ્રીમદ ભાગવત ગીતા (9.20-21)ના અનુસાર દેવતાઓની પૂજા કરનારા લોકો સ્વર્ગમાં જાય છે, પરંતુ જ્યારે સદગુણ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેઓ ફરીથી આ મૃત્યુ લોકમાં જન્મ લે છે.

જો વ્યક્તિએ પાપનું કર્મ કર્યું છે. તો મૃત્યુ બાદ તેને યમલોકમાં સ્થાન મળે છે. જ્યાં તેને નરકમાં દંડ ભોગવવો પડે છે. આ સમય તેના પાપોની ગંભીરતા અનુસાર અલગ અલગ હોય છે.
ગરુડ પુરાણ અને અન્ય ધર્મશાસ્ત્રો અનુસાર નરકમાં અનેક પ્રકારના ત્રાસ આપવામાં આવે છે. જ્યારે પાપોની સજા પૂર્ણ થાય છે, ત્યારે આત્માને પુનર્જન્મ માટે મોકલવામાં આવે છે.
જ્યારે આત્માના પુણ્ય કે પાપ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે તેના કર્મો અનુસાર નવા શરીરમાં જન્મ લે છે. પુનર્જન્મનું આ ચક્ર આત્માને મુક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહે છે. વેદો અને ગીતામાં કહેવામાં આવ્યું છે કે, જે આત્મા ભગવાનના પરમ ધામ (મોક્ષ)ની પ્રાપ્ત કરી લે છે. તો ફરી જન્મ-મૃત્યુના ચક્રમાં આવતી નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ટુંકમાં સ્વર્ગ કે નરકમાં રહેવાનો કોઈ ચોક્કસ સમય નથી. આ વ્યક્તિના પુણ્ય અને પાપો પર નિર્ભર કરે છે. પુર્ણય સમાપ્ત થવા પર સ્વર્ગથી ફરી જન્મ લેવો પડે છે. પાપોનો દંડ પૂર્ણ થવા પર નરકમાંથી ફરી નવો જન્મ મળે છે. મોક્ષ પ્રાપ્ત કરવા પર પુનજન્મ મળતો નથી.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.