વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને મચ્છર અને અન્ય જીવજંતુઓનું પ્રમાણ વધી જતું હોય છે. આપણે આ બધાને તો ભગાવવા સહેલા થઈ જતા હોય છે, પરંતુ ગરોળી એક પ્રાણી છે, જેને આપણે આસાનીથી ઘરમાંથી કાઢી શકતા નથી.
ગરોળી ભલે ઉંદરની જેમ અહીં-ત્યાં ન દોડતી હોય, પણ તેનું નામ સાંભળતા જ ઘણા લોકોની ચીસ નીકળી જાય છે. જોકે, તેને જોતા જ લોકો ઉછળી પડે છે.
સામાન્ય રીતે ગરોળીને રસોડા, લિવિંગ રૂમ અને ટ્યુબલાઇટની પાછળની દિવાલો પર જોવામાં આવે છે. તે નાના-નાના જીવજંતુઓની સંખ્યા ઘટાડે છે, પરંતુ તે ખૂબ જ ઝેરી પણ હોય છે. તેથી, તેને ઝેર આપીને મારવા કરતાં તેને ભગાડવું વધુ સારું માનવામાં આવે છે.

લોકોને ડર રહે છે કે ગરોળી તેમના પર અથવા ખોરાકમાં ન પડી જાય, કારણ કે તે ઝેરી હોય છે અને જીવને જોખમમાં મૂકી શકે છે. તેથી, લોકો તેને ઘરમાંથી દૂર રાખવા માટે નવા-નવા ઉપાય શોધતા રહે છે. જોકે, હવે તમને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમે તમને એક એવી ટ્રીક જણાવીએ છીએ, જેનાથી તમારી ઘરમાંથી આસાનીથી ગરોળી ભાગી જશે અને તમારે મારવી પણ નહીં પડે.
શું-શું જોઈએ?
- કપૂર રૂ
- એન્ટિસેપ્ટિક લિક્વિડ
- (ડેટોલ) સેફ્ટી પિન
સૌપ્રથમ મિશ્રણ બનાવો
ગરોળીને ઘરમાંથી દૂર રાખવા માટે તમારે એક મિશ્રણ તૈયાર કરવું પડશે. આ માટે કપૂરને બારીક પીસીને તેનો પાઉડર બનાવો. હવે તેમાં ડેટોલ મિક્સ કરીને સારી રીતે મિક્સ કરો. હવે રૂની મદદથી વાટ બનાવો અને તેને કપૂર અને ડેટોલના મિશ્રણમાં ડુબાવો, જેથી વાત સારી રીતે બધું મિશ્રણ પી લે.
પિનમાં રૂ નાખવાની રીત
હવે તમારે કપૂર અને ડેટોલના મિશ્રણમાં પલાળેલી વાટને પિનમાં નાખવી પડશે. આ માટે તમે 4 પિનમાં બે-બે કરીને 8 વાટ નાખી દો. હવે આ પિનને ઘરના અલગ-અલગ ખૂણામાં રાખી દો, જો દિવાલ પર ખીલી છે તો તેમાં પણ લગાવી શકો છો. આ ટ્રીક યુઝ કરવાથી ઘણા સમય સુધી ગરોળી ઘરમાં નહીં ફરકે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તમે ઘરમાં ગરોળીને આવતી રોકવા માટે છોડ પણ લગાવી શકો છો. ફુદીના, લેમનગ્રાસ અને મેરીગોલ્ડ જેવા છોડની સુગંધ ગરોળીને બિલકુલ પણ પસંદ નથી.










