× Special Offer View Offer

સવારમાં ઉઠતાની સાથે જ પેટ સાફ થઈ જશે, આ દેશી ઉપાયો અપનાવશો તો દવા લેવાની જરૂર નહીં પડે…

WhatsApp Group Join Now

અનેક લોકોને કબજિયાતની તકલીફ હોય છે. કબજિયાત થવા પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. કબજિયાત તમને બીજી અનેક બીમારીઓનો શિકાર બનાવી શકે છે.

ખાસ કરીને કબજિયાત થવા પાછળ ક્યાંકને ક્યાંક તમારી લાઈફ સ્ટાઈલ જવાબદાર હોય છે. આમ, રૂટિન લાઈફમાં ચેન્જ કરીને કબજિયાતની તકલીફ દૂર કરવી ખૂબ જરૂરી છે.

પેટ સાફ કરવા માટે અનેક લોકો અનેક લોકો ચૂર્ણ તેમજ દવા લેતા હોય છે.પરંતુ આ ક્યારેક હેલ્થને નુકસાન કરે છે. તો આજે અમે તમને કબજિયાતના કેટલાક દેશી ઉપાયો વિશે જણાવીશું જે તમારું પેટ સાફ કરવામાં મદદ કરી શકે છે.

આ ઉપાય છે અસરકારક

  • કબજિયાતની તકલીફ દૂર કરવા માટે દિવસ દરમિયાન પ્રવાહી વધારે પીવાનું રાખો. લિક્વિડ વધારે લેવાથી ફાયદો થાય છે.
  • આખી રાત જીરાને પાણીમાં પલાળીને સવારે પીવાથી તમારું પેટ એકદમ સાફ થશે અને અપચો પણ દૂર થશે. સવારના સમયમાં પેટ સાફ થવાથી આખો દિવસ સારો જાય છે.
  • સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ અને કાળું મીઠું મિક્સ કરીને પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે.
  • અજમાનું પાણી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તમને અજમાનું પાણી પીવાનું ગમતું નથી તો તમે અજમો ચાવી પણ શકો છો. અજમાનું પાણી તમે પીઓ છો તો શરીરની ગંદકી દૂર થઈ જાય છે અને પેટમાં થયેલા ગેસમાંથી પણ છુટકારો મળે છે. આ માટે તમે સવારમાં અજમાનું પાણી તેમજ અજમો ખાવાનું રાખો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
  • પપૈયાનું સેવન કરો. કબજિયાતની તકલીફ વધારે છે તો તમે દરરોજ પપૈયાનું સેવન કરો. આ માટે એક પ્લેટ ભરીને પપૈયું ખાઓ. પપૈયામાં રહેલા ગુણો પેટ સાફ કરવામાં મદદ કરે છે.
  • મસાલેદાર વાનગીઓ ખાવાનું ટાળો. મસાલેદાર ખોરાક ખાવાથી કબજિયાતની તકલીફમાં વધારો થઈ શકે છે.
  • કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ સવારમાં આ પાણી પી જાઓ. પછી કિશમિશ ચાવો. આ ઉપાય કરવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે અને સવારમાં પેટ સાફ થઈ જાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment