× Special Offer View Offer

શું તમે પણ વારંવાર વાળ કલર કરાવો છો? તો જાણી લો તેના આ ખતરનાક સાઇડ ઈફેક્ટ્સ…

WhatsApp Group Join Now

વાળમાં તમે પ્રોપર રીતે કલર કરતા નથી તો હેર ડેમેજ વધારે થાય છે. અનેક લોકોને વારંવાર વાળમાં કલર કરાવવાની આદત હોય છે. આમ કરવાથી વાળ વધારે ડેમેજ થાય છે. હેર કલર લાંબે ગાળે તમારા વાળને અનેક રીતે નુકસાન કરે છે.

આ તમારા વાળને નબળા કરવાનું કામ કરે છે. આ કારણે સ્કેલ્પમાં બળતરા પણ થઇ શકે છે. આમ, તમે વારંવાર વાળમાં કલર કરાવો છો તો નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.તો જાણો આ ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ વિશે.

વાળમાં કલર કરાવવાથી થાય છે આ સાઇડ ઇફેક્ટ્સ

  • વાળમાં વારંવાર કલર કરાવવાથી વાળ અનેક રીતે ડેમેજ થાય છે. હેર ડાઇમાં એમોનિયા અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા કેમિકલ હોય છે જે વાળમાંથી નેચરલ નમીને શોષી લે છે. વારંવાર હેર કલર કરાવવાથી વાળ ડ્રાય વધારે થઇ જાય છે. આ સાથે બેમોં વાળ વાળની સમસ્યા થાય છે.
  • હેર ડાઇમાં રહેલાં કેમિકલ સ્કિન એલર્જીનું કારણ બની શકે છે. આ કારણે ખંજવાળ, લાલ ચકામા, બળતરા અને રેશિશ જેવી સમસ્યા થઇ શકે છે. કેટલાક લોકોમાં આ સીવિયર એલર્જિક રિએક્શનનું કારણ પણ બની શકે છે જેનાં કારણે ત્વચામાં સોજો આવી શકે છે.
  • સતત હેર કલર કરાવો છો તો વાળ મૂળમાંથી નબળા પડવા લાગે છે. આ કારણે વાળ ખરવા લાગે છે. કેમિકલ ડાઇ સ્કેલ્પની પ્રાકૃતિક નમી અને પોષણને ખતમ કરવાનું કામ કરે છે. આ કારણે વાળ પાતળા અને નબળા થઇ જાય છે.
  • તમે વારંવાર વાળમાં કલર કરો છો તો શાઇન ઓછી થઇ જાય છે. આ તમારા વાળની સોફ્ટનેસ ઓછી કરે છે. આ સાથે તમારા વાળની ફ્રીઝીનેસ પણ વધી જાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
  • એક અનુસાર રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધારે હેર ડાઇનો ઉપયોગ તમે કરો છો તો બ્લેડર અને કેન્સરનું જોખમ વધી શકે છે. આ સિવાય કેમિકલ ડાઇમાં રહેલાં તત્વો હોર્મોનલ અસંતુલન અને એન્ડોક્રાઇન સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.

આ રીતે વાળને ડેમેજ થતા બચાવો

  • એમોનિયા ફ્રી તેમજ નેચરલ હેર ડાઇની પસંદગી કરો. હર્બલ કલર તેમજ મહેંદીનો વિકલ્પ સારો હોઇ શકે છે.
  • કલર કરવાની ફ્રીક્વેન્સી ઓછી કરો. દર મહિને કલર કરાવવાનું ટાળો.
  • પેચ ટેસ્ટ જરૂર કરો.
  • પ્રોફેશનલ હેર સ્ટાઇલિસ્ટની સલાહ લો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment