દરેક મહિલા એવું ઇચ્છે છે કે એની ડિલિવરી નોર્મલ અને ગર્ભમાં રહેલું બાળક હેલ્ધી આવે. પરંતુ કેટલાક કોમ્પ્લિકેશન્સને કારણે સિઝેરિયન ડિલિવરી કરાવવી પડે છે. એક્સપર્ટ અનુસાર સિઝેરિયન ડિલિવરીમાં પેટમાં ટાંકા આવે છે જેના કારણે વજન વધવાનું જોખમ વધારે રહે છે.
આ સાથે ઓપરેશન પછી શરીરમાં નબળાઈ આવી શકે છે, પરંતુ શું તમે જાણો છો ઓપરેશનથી થતી ડિલિવરીમાંથી છૂટકારો મેળવવા માટે કયા ફૂડ્સનું સેવન કરવું જોઈએ?તો જાણો ગર્ભાવસ્થામાં શું ખાવું જોઈએ? લેબર પેઇન ઓછું કરવા માટે શું ખાવું જોઈએ? તો જાણો આ વિશે ડાયટ ફોર ડિલાઇટ ક્લીનિક નોઇડાનાં સીનિયર ડાયટિશિયન ખુશ્બુ શર્મા શું કહે છે…

પ્રેગનન્સીમાં કેવું હોવું જોઈએ તમારું ડાયટ?
ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થતા હોય છે. આ માટે ગર્ભવતી મહિલાઓએ પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો ખૂબ જરૂરી છે. એક્સપર્ટ અનુસાર પ્રેગ્નન્ટ મહિલાએ 450-500 કેલરીથી વધારે ભોજન લેવાની જરૂર હોય છે. આમ કરવાથી ગર્ભમાં રહેલા બાળકને પૂરતું ભોજન મળી રહે છે.
આ વસ્તુઓનું સેવન કરો
દૂધ
દૂધ પ્રોટીનનો સારામાં સારો સ્ત્રોત છે. એક કપ દૂધમાંથી 8.22 ગ્રામ પ્રોટીન પ્રાપ્ત કરી શકો છો. દૂધ મા અને પેટમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
દાળ અને ફ્રૂટ
દાળ અને ફ્રૂટનું સેવન કરવાથી ફાઇબર અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન આ વસ્તુને ડાયટમાં એડ કરવાથી નોર્મલ ડિલિવરી થવાની સંભાવના વધી જાય છે.
ઇંડા
પ્રેગનન્સી દરમિયાન નોનવેજ ખાવાથી ગર્ભવતી મહિલાઓ બચતી હોય છે. તમે નોર્મલ ડિલિવરી થાય એવું ઇચ્છો છો તો ઇંડાનું સેવન કરો. ઇંડામાં પ્રોટીનનો સ્ત્રોત સારામાં સારો હોય છે જે એમીનો એસિડની આવશ્યકતા પૂરી કરે છે.
ઓટ્સ
ગર્ભાવસ્થામાં શરીરમાં અનેક નબળાઈ આવવા લાગે છે. ગર્ભાવસ્થાના શરૂઆતમાં ઓટ્સ શામેલ કરો. ઓટ્સનું સેવન કરવાથી નોર્મલ ડિલિવરી થવાના ચાન્સિસ વધારે રહે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લો ફેટ મીટ
તમે પ્રેગ્નન્ટ વુમન છો અને નોન વેજિટેરિયન છો, લો ફેટ મીટ ફાયદાકારક છે. આમાં આયર્નની માત્રા સારી હોય છે જે ગર્ભવતી મહિલા માટે જરૂરી છે.
કેળા
પ્રેગનન્સીમાં કેળાનું સેવન કરો છો તો અનેક ફાયદા થાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.