× Special Offer View Offer

તળ્યાં પછી તેલમાં આ વસ્તુ નાખશો તો તેલમાંથી બધી ગંદકી થઈ જશે દૂર! આ તેલનો ફરી યુઝ કરી શકશો…

WhatsApp Group Join Now

પૂરી કે ભજીયા તળ્યાં પછી તેલ કાળુ થઇ જાય છે. તેલનો કલર બદલાઇ જાય છે. આ તેલનો બીજીવાર ઉપયોગ કરો છો તો વસ્તુ પણ બગડે છે અને સ્મેલ પણ આવે છે.

આ કારણે અનેક લોકો આ તેલ ફેંકી દેતા હોય છે. પરંતુ તમે આ ટિપ્સ ફોલો કરશો તો ફરીથી તેલનો ઉપયોગ કરી શકશો અને વાસ પણ નહીં આવે. તો જાણો કુકિંગ ઓઇલમાં જામેલી ગંદકી કેવી રીતે સાફ કરશો.

આ રીતે બીજીવાર તેલનો ઉપયોગ કરો

તેલમાં જામેલી ગંદકી સાફ કરવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં એક ચમચી આરાલોટ લો. ત્યારબાદ આ બાઉલમાં 4 ચમચી પાણી નાખો અને સ્મૂધ પેસ્ટ બનાવો.

હવે આ પેસ્ટ તેલ વાળા બાઉલમાં મિક્સ કરો. ગેસ ઓન કરીને કડાઇ મૂકો. તમે વિચારી રહ્યાં હશો કે તેલમાં પાણીની પેસ્ટ નાખવાથી વધારે બગડશે, પરંતુ જરા પણ આવું નહીં થાય.

આ પેસ્ટમાં તમે જે આરાલોટ મિક્સ કર્યો છે એ પાણી તેલમાં જામેલી ગંદકીને એબ્જોર્બ કરી લેશે અને ધીરે ધીરે ક્લીન કરશે. થોડીવાર પછી આરાલોટ લમ્પ્સ ફોર્મમાં બની જશે અને તેલની ગંદકી સાફ કરી દેશે. 10 મિનિટ ગેસ બંધ કરી દો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જ્યારે તેલ ઠંડુ થઇ જાય એટલે ગાળી લો. તમે જોઈ શકશો કે તેલ એકદમ સાફ થઇ જશે અને નેચરલ કલર ફેડ નહીં થાય. આમ, તમે આ તેલનો ઉપયોગ ફરીથી કરી શકશો.

આ વાતોનું ધ્યાન રાખો

  • કોઈપણ તેલનો બે વારથી વધારે સમય સુધી ઉપયોગ કરશો નહીં.
  • વધારેમાં વધારે બે વાર તેલમાં ફ્રાય કરો.
  • વધારે તેલમાં તમે રસોઈ બનાવો છો તો હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
  • વધારે બળેલા તેલનો ઉપયોગ કરવાનું ટાળો. આ હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા પેદા કરી શકે છે. વધારે બળેલા તેલનો ઉપયોગ તમે કરો છો તો કોલેસ્ટ્રોલ વધારે આવી શકે છે. આ સાથે બીજા પણ અનેક નુકસાન કરી શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment