તમારી આ એક નાની ભૂલથી અનાજ મળતું બંધ થઈ જશે, રાશન કાર્ડ સંબંધિત આ નિયમો જાણી લેજો…

WhatsApp Group Join Now

દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આપણા દેશમાં લગભગ 80 કરોડ લોકો સરકાર દ્વારા અપાતા રાશન પર નિર્ભર છે. આથી સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ તેમને અનાજ પૂરું પાડે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે. દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે. જો તમે રાશન કાર્ડ મારફતે અનાજ લેતા હોય તો તમારે એક ભૂલથી બચવું જોઈએ. નહીં તો તમારુ રાશન બંધ થઈ શકે છે.

e-KYC નહીં કરાવનારને નહીં મળે રાશન

ભારત સરકારે પહેલાથી જ બધા રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવવા માટે સૂચનાઓ આપી દીધી છે. સરકારે સમયાંતરે આ માટે અનેક વખત સમયમર્યાદા પણ વધારી છે. પરંતુ હજુ પણ અનેક રાજ્યોમાં આવા ઘણા રાશન કાર્ડનકાર્ડ ધારકો છે જેમને e-KYC નથી કરાવ્યું. જેમણે હજુ સુધી રાશન કાર્ડ માટે ઈ કેવાયસી કરાવ્યું નથી તેવા લોકોને મળતી રાશન સુવિધાનો લાભ બંધ થઈ શકે છે.

કેવી રીતે e-KYC કરાવી શકાય ?

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રાશન કાર્ડની e-KYC કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ સુધી આપવામાં આવી છે. ત્યાર સુધી જો કોઈ રેશનકાર્ડ ધારકે આ e-KYC નહીં કરાવ્યું હોય તો પછી રાશન કાર્ડ દ્વારા તેમને મળતી રાશન સુવિધાનો લાભ બંધ થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

રાશન કાર્ડ e-KYC કરાવવા માટે તમે તમારા નજીકના રાશન ડીલર પાસે જઈ શકો છો. તમારે ત્યાં તમારું આધાર કાર્ડ લઈ જવું પડશે અને બાયોમેટ્રિક્સ દ્વારા તમે તમારી e-KYC પ્રોસેસ પૂર્ણ કરી શકો છો. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે ઓનલાઈન પણ e-KYC કરાવી શકો છો.

WhatsApp Group Join Now

Leave a Comment