ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. મચ્છરો માત્ર પરેશાની જ ઊભી કરતા નથી, પણ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો પણ ફેલાવે છે.
મોટાભાગના લોકો મચ્છરોને ભગાડવા માટે કેમિકલવાળા સ્પ્રે અથવા કૉઇલનો ઉપયોગ કરે છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કુદરતી ઉપાયો શોધી રહ્યા છો, તો અહીં કેટલાક સરળ અને અસરકારક ઉપાયો આપેલા છે.

લીમડાનું તેલ
લીમડાના તેલમાં પ્રાકૃતિક એન્ટી-બેક્ટેરિયલ અને મચ્છરવિરોધી ગુણધર્મો હોય છે. થોડું લીમડાનું તેલ પાણીમાં ભેળવીને ઘરે સ્પ્રે કરો અથવા દીવામાં લીમડાનું તેલ નાખીને પ્રગટાવો.
આ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરશે. લીમડાનું તેલ નાળિયેર તેલ સાથે ભેળવીને શરીર પર લગાવવાથી પણ મચ્છર નજીક નહીં આવે.
કપૂર
કપૂરની ગંધ મચ્છરો માટે સહન કરી શકાય તેવી નથી. તમે એક વાસણમાં પાણી લઈ એમાં કપૂરની ગોળી નાખી મૂકી શકો અથવા દરરોજ રાત્રે કપૂર બાળીને તેનો ધૂમાડો રૂમમાં ફેલાવો. આ ઉપાય મચ્છરોને દૂરસ્થ રાખવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.
પેપરમિન્ટ તેલ
ફુદીનાના તેલની તીવ્ર સુગંધ મચ્છરોને ભગાડે છે. પાણીમાં પેપરમિન્ટ તેલ ભેળવીને રૂમમાં સ્પ્રે કરો અથવા ફુદીનાના પાન ઉકાળીને તે પાણીથી ફલોર સાફ કરો. આ ઉપાય મચ્છરોથી સુરક્ષા આપી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
લવંડર તેલની મીઠી સુગંધ આપણે પસંદ કરીએ છીએ, પરંતુ મચ્છરો તેને સહન કરી શકતા નથી. તમે પાણીમાં લવંડર તેલ ભેળવીને રૂમમાં સ્પ્રે કરી શકો અથવા ઓશિકા અને રૂમના ખૂણાઓમાં થોડી છોંટી શકો છો.
લસણ
લસણની તીવ્ર ગંધ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. થોડા લસણની કળીઓને પીસી, પાણીમાં ભેળવીને ઘરમાં સ્પ્રે કરો અથવા લસણનું પાણી ઉકાળીને તે રૂમમાં મૂકો.
સલાહ
ઘરના આજુબાજુ પાણીને જમા થવા ન દો, કારણ કે ત્યાં મચ્છરો પેદા થાય છે. બારીઓ અને દરવાજાઓમાં ગ્રીલ અથવા જાળી લગાવો. ઘરમાં લીમડાના પાન સળગાવવાથી પણ મચ્છરો દૂર રહેશે.
ઘરની સ્વચ્છતા જાળવી રાખો અને નિયમિતપણે ફિનાઇલનો ઉપયોગ કરો. આ કુદરતી ઉપાયો અજમાવીને તમે મચ્છરોને દૂર રાખી શકો છો અને સ્વાસ્થ્યની સુરક્ષા કરી શકો છો.