× Special Offer View Offer

પગની ફાટેલી એડીઓ આ ઘરેલું ઉપાયોથી કોમળ થઈ જશે, જાણો આ અસરકારક ઉપાયો…

WhatsApp Group Join Now

એડીઓ કેમ ફાટે છે?

  • જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે ત્યારે માંસપેશીઓ તૂટવા લાગે છે. એટલે જ એડીઓમાં દરાર પડે છે.

એડીઓ ફાટવાના મુખ્ય કારણો

  • શરીરમાં પાણીની ઉણપ – ઓછું પાણી પીવાથી ત્વચા સૂકી પડે છે અને એડીઓ ફાટવા લાગે છે.
  • વધુ સમય સૂકાં ચંપલ પહેરવા – ખુલ્લા પગે ફરવું પણ હાનિકારક છે.
  • સાબુનો વધુ ઉપયોગ – કેટલીકવાર વધારે એલ્કાલીનસાબુથી ત્વચાની નરમાશ નાશ પામે છે.
  • પોષણની ઊણપ – ખાસ કરીને વિટામિન E, ફેટી એસિડ અને ઝિંકની કમી.
  • થાઈરોઇડ કે ડાયાબિટીસ જેવી બીમારીઓ
  • વય વૃદ્ધિ સાથે ત્વચાની લવચીકતા ઘટે છે.

શરીરની ગરમીમાં ઘટાડો

  • એડીઓ ફાટવાનું અટકાવવા માટે સૌથી પહેલા શરીરના તાપમાનને ઓછું કરવું જરૂરી છે.
  • જીવનશૈલીમાં ફેરફાર કરવો અને સવારે તથા સાંજે બંને સમયે સ્નાન કરવાની ભલામણ પણ કરી.
  • સ્નાન માત્ર શરીરની અશુદ્ધિ દૂર કરે છે એવું જ નહીં, પણ તેનાથી મન પણ શાંત થાય છે અને અનેક રોગોનો દૂર કરી શકાય છે.

ખૂબ કામના છે આ ઘરગથ્થુ ઉપાય

  • જો તમારી પણ એડીઓ ફાટી રહી હોય તો પગને ગરમ પાણીમાં રાખી શેક લો.
  • એક ટબમાં ગરમ પાણી લો અને તેમાં થોડું મીઠું મિક્સ કરો.
  • પછી બંને પગને તેમાં ૨૦ મિનિટ સુધી ભીંજવી રાખો.
  • આ પછી હળવા બ્રશથી એડીઓને ઘસો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

નાળિયેર તેલ અથવા ઘી લગાવો

  • રાતે સુતા પહેલા એડીઓ પર નાળિયેર તેલ કે પછી દેશી ઘી લગાવો.
  • સાથે જ, ગ્લિસરિન અને ગુલાબ જળને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને એડીઓ પર લગાવો.
  • આ એડીઓમાં ભેજ જાળવી રાખે છે, જેથી એડીઓ નરમ બનેલી રહે છે.

ક્યારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ?

  • જો એડીઓમાંથી રક્ત વહે છે અથવા પૂરી ચામડી નીકળવા લાગે છે.
  • ખૂબ દુખાવો કે ચમડી લાલ થઈ જાય.
  • ડાયાબિટીસના દર્દી હોય અને ફાટેલી એડીઓ સાજી ન થતી હોય.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment