પાણી વગર જીવન અને તંદુરસ્તીનો વિચાર કરવો મુશ્કેલ છે. તે આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે. અનેક પ્રકારની તકલીફો દૂર રહે છે, પરંતુ શું તમે જાણો છો કે જરૂરત કરતા વધુ પાણી પીવું પણ ખતરનાક બની શકે છે? ચાલો જાણીએ કઈ રીતે?
વધારે પાણી પીવું નુકસાનદાયક કેમ?
જ્યારે તમે જરૂર કરતા વધુ પાણી પીવો છો, ત્યારે શરીરમાં સોડિયમનું સ્તર બગડી શકે છે. આ સ્થિતિને હાઇપોનેટ્રેમિયા કહેવામાં આવે છે. તેમાં શરીરમાં પાણી વધુ હોય છે, પણ લોહીમાં સોડિયમનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આથી ચક્કર આવવા, પેશીઓમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળી શકે છે.

દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?
એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ, તે વ્યક્તિની ઉંમર, વજન, દૈનિક પ્રવૃત્તિઓ, હવામાન અને આરોગ્યની સ્થિતિ પર નિર્ભર હોય છે. તેમ છતાં, સ્ત્રીઓ અને પુરૂષો માટે સામાન્ય માર્ગદર્શિકા આપવામાં આવી છે.
પુરૂષોએ કેટલું પાણી પીવું જોઈએ?
સ્વસ્થ પુરૂષોએ દિવસમાં આશરે 3.7 લીટર એટલે કે 15 થી 16 ગ્લાસ પાણી લેવું જોઈએ, જેમાં ખોરાક અને અન્ય પ્રવાહી પદાર્થો પણ સમાવિષ્ટ છે.
સ્ત્રીઓએ કેટલું પાણી પીવું જોઈએ?
સ્વસ્થ સ્ત્રીઓએ દિવસમાં આશરે 2.7 લીટર એટલે કે 11 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ધ્યાન રાખો કે તેમાં માત્ર પાણી નહીં, પણ ચા, દુધ, જ્યુસ, ફળ-શાકભાજીમાંથી મળતું પાણી પણ સામેલ છે.
કોણે ખાસ ધ્યાન રાખવું જોઈએ?
એથ્લીટ્સ કે જે વધારે પસીનો વહાવે છે, તેમને વધારે પાણીની જરૂર પડે છે, પણ સાથે ઇલેક્ટ્રોલાઇટ્સની પણ પૂરતી ભરપાઈ કરવી ખૂબ જ જરૂરી છે. માત્ર પાણી પીતા રહેવું નુકસાનકારક બની શકે છે. કિડનીના દર્દી, હાર્ટ પેશન્ટ કે થાઇરોઇડની સમસ્યા ધરાવતી વ્યક્તિએ તબીબની સલાહથી જ પાણીની માત્રા નક્કી કરવી જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કેમ ખબર પડે કે પાણી પૂરતું થઈ રહ્યું છે કે નહીં?
જો તમને તરસ લાગતી નથી, તો સમજવું કે તમે પૂરતું પાણી લઈ રહ્યા છો. એટલું જ નહીં, પરંતુ યુરિનનો રંગ જો હળવો પીળો કે સ્વચ્છ હોય, તો પણ તે સારી બાબત માનવામાં આવે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










