‘મન કી બાત’ના ૧૨૧મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ પહેલની ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભારતના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા વિકસાવવામાં આવેલી ‘SACHET’ એપ હવે લોકોને કુદરતી આફતોથી બચવામાં મદદ કરશે.
‘Sachet’ એપ શું છે?
પીએમ મોદીએ કહ્યું કે SACHET એપનો ઉદ્દેશ્ય દરેક નાગરિકને દરેક શક્ય રીતે સુરક્ષિત અને જાગૃત રાખવાનો છે. આ એપ દ્વારા, તમને હવામાન વિભાગ સંબંધિત નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મળશે. એટલે કે જો તમારા વિસ્તારમાં પૂર, ભૂકંપ, તોફાન કે અન્ય કોઈ આફતનો ભય હોય, તો તમને સમયસર ચેતવણી મળશે.

પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે આ એપ ઘણી પ્રાદેશિક ભાષાઓમાં માહિતી પણ પૂરી પાડે છે, જેથી દેશના દરેક ખૂણામાં રહેતા લોકો તેને સરળતાથી સમજી શકે અને તેનો ઉપયોગ કરી શકે.
ફોનમાં ડાઉનલોડ કરો
SACHET એપ ફક્ત તમારી સુરક્ષામાં વધારો કરતી નથી, પરંતુ સમયસર જરૂરી પગલાં લેવા માટે પણ તમને તૈયાર કરે છે.
પીએમ મોદીએ તમામ દેશવાસીઓને આ એપ ડાઉનલોડ કરવા અને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા વિનંતી કરી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે આબોહવા પરિવર્તનને કારણે કુદરતી આફતોનો ખતરો ઝડપથી વધી રહ્યો છે, ત્યારે SACHET એપ જેવા ટેકનોલોજીકલ સાધનો દરેક ભારતીય માટે ‘સુરક્ષા રક્ષક’ તરીકે કામ કરી શકે છે.










