તમારી તિજોરી રૂપિયાથી છલકાશે! ઘરની આ દિશાઓમાં રાખો આ પાંચ વસ્તુઓ…

WhatsApp Group Join Now

વાસ્તુશાસ્ત્ર ઘરની કેટલીક વસ્તુઓ માટે દિશા નક્કી કરવામાં આવી છે. જો વાસ્તુશાસ્ત્ર આ ટિપ્સ ફોલો કરીએ તો કુબેરદેવતાનું ઘરમાં આગમન થાય છે. ચાલો જાણીએ કેટલીક વાસ્તુ ટિપ્સ, જે અપનાવીને તમે પણ પૈસાદાર બની શકો છો.

ઉત્તર દિશા અને ધનનું મહત્વ

  • ઉત્તર દિશા વાસ્તુશાસ્ત્રમાં સૌથી શુભ અને ધનપ્રદ માનવામાં આવે છે.
  • આ દિશાનું સંચાલન કુબેર દેવતા કરે છે, જે ધન અને સંપત્તિના દેવતા છે.
  • એટલે ઉત્તર દિશાની યોગ્ય સંભાળ અને સજાવટ જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવી શકે છે.

ઉત્તર દિશામાં આ પાંચ વસ્તુઓ મૂકો :

વોટર ફાઉન્ટેન
  • પાણીનો પ્રવાહ ધનની અવિરત આવકનું પ્રતિક છે.
  • વોટર ફાઉન્ટેન, માટલુ કે વોટર પ્યુરીફાયર જેવી વસ્તુઓઘરમાં એનર્જી ફેલાવે છે.
  • એવું માનવામાં આવે છે કે સતત વહેતું પાણી જીવનમાં સ્થિરતા અને વૃદ્ધિ લાવે છે.
તિજોરી
  • ઘરની તિજોરી જો ઉત્તર દિશામાં રાખવામાં આવે, તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
  • તિજોરી ખાલી નહીં રાખવી અને નિયમિત રીતે રોકાણ કરતા રહેવું શુભ માનવામાં આવે છે.
ઝરણાની તસવીર
  • જો વાસ્તવિક પાણીનું પ્રવાહિત સાધન ન હોય શકે, તો ઝરણાની સુંદર તસવીર પણ મુકવી.
  • ઝરણું શાંતિ અને સતત વૃદ્ધિનો સંકેત છે.
  • ઘરમાં શાંતિ અને પ્રસન્નતા જળવાઈ રહે છે અને ઘર્ષણો ઘટે છે.
માછલી ઘર
  • માછલી ઘરમાં માછલીઓના સતત હલનચલનથી ઘરમાંઉર્જા રહે છે.
  • ખાસ કરીને માછલીઘરમાં સાત-આઠ સોનેરી અને એક કાળી માછલી રાખવી શુભ માનવામાં આવે છે.
  • નોકરી અને ધંધામાં ધીમી પડી ગયેલી સિદ્ધિઓને પણ ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કુબેર દેવતાની તસવીર
  • ઘરમાં કુબેર દેવતાની ભવ્ય અને સમૃદ્ધિ દર્શાવતી તસવીર મૂકવી.
  • તેમને સુંદર આસન પર બેઠેલા અને ધનના ભંડાર સાથે દર્શાવવામાં આવતું હોય એ પ્રકારની છબી પસંદ કરવી.
  • દરરોજ ભગવાન કુબેરનું સ્મરણ કરવાથી ધનવૃદ્ધિ અને સકારાત્મકતા નિશ્ચિત માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ વધારાની ટિપ્સ

  • ઉત્તર દિશામાં ભારે સામાન રાખવો નહીં, નહિતર ધનનો પ્રવાહ અટકી શકે છે.
  • આ દિશા હંમેશા સ્વચ્છ અને ખુલ્લી રાખવી.
  • કાળા, લાલ રંગના ઘાટાવાળા સજાવટ ઉત્તર દિશામાં ટાળવી.
  • સફેદ અને આકાશી રંગોથી સજાવટ કરવી ઉત્તમ માનવામાં આવે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment