ભાડુઆત લોકો કેટલા વર્ષ પછી ઘર કે ફ્લેટ પર કબજા માટે દાવો કરી શકે? આ અંગેના નિયમો શું છે? અહીં જાણો…

WhatsApp Group Join Now

અવારનવાર લોકોને નોકરી કે વેપારના સંદર્ભમાં પોતાનું શહેર છોડીને બીજાં શહેરમાં જવું પડતું હોય છે. ઘણાં લોકો નાના શહેરમાંથી મોટા શહેરમાં શિફ્ટ થાય છે, તો કેટલાક લોકો એક મોટા શહેરમાંથી બીજા મોટા શહેરમાં જાય છે.

આવું થાય ત્યારે સૌથી પહેલી જરૂરિયાત હોય છે રહેવાની જગ્યા શોધવાની. મોટાભાગે લોકોને નવા શહેરમાં ભાડે રહેવું પડે છે.

મોટા શહેરોમાં ઘણા લોકો પોતાનાં ખાલી મોટા ઘરો ભાડે આપી દે છે, જેથી તેમને આવક થાય. છેલ્લા કેટલાંક સમયથી આ એક સામાન્ય પ્રવૃત્તિ બની ગઈ છે. પરંતુ તમારે જાણવું જરૂરી છે કે જો કોઇ વ્યકિત લાંબા સમય સુધી તમારા ઘરમાં ભાડે રહે છે, તો તે તમારા ફ્લેટ પર દાવો કરી શકે છે. આવો જાણીએ તેના નિયમો શું કહે છે.

12 વર્ષ પછી ભાડે રહેતી વ્યકિત ફ્લેટ પર દાવો કરી શકે છે

હકીકતમાં જો કોઇ કરાયેદાર સતત 12 વર્ષ સુધી કોઇ ફ્લેટમાં રહે છે અને ઘરમાલિક તરફથી કોઇ જાતની કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી, તો તે વ્યકિત “એડવર્સ પઝેશન” હેઠળ ફ્લેટ પર દાવો કરી શકે છે.

એડવર્સ પઝેશન એટલે શું?

એડવર્સ પઝેશન એ એવો કાનૂની આધાર છે જેમાં કોઈ વ્યકિત કોઈ મિલકત પર લાંબા સમય સુધી, માલિકના વિરોધ વગર, કબજો જાળવી રાખે છે – તો કાયદેસર તે વ્યકિત ત્યાંનો માલિક બની શકે છે. અહીં “લાંબા સમય” નો અર્થ છે સતત 12 વર્ષ સુધી કાયદેસર દસ્તાવેજ વિના રહેવું અને માલિક દ્વારા કોઇ દાવો કે હક ન હોવો.

માત્ર દાવાથી નહીં મળી જાય ફ્લેટ

જો કે, માત્ર દાવો કરવાથી ભાડુઆતને ફ્લેટ નહીં મળી જાય. તેના માટે ભાડુઆત પાસે જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. જેમ કે વીજળીનું બિલ, પાણીનું બિલ, પ્રોપર્ટી ટેક્સના દસ્તાવેજો. જો આ બધું ભાડુઆત પાસે હોય અને ઘરમાલિક તેની સામે કોઇ વાંધો ઉઠાવી શકતો નથી, તો પછી ભાડૂઆતનો દાવો મજબૂત બની શકે છે.

કાયદાકીય માળખું

આ એક્ટના કલમ 27 હેઠળ, જો કોઈ મિલકત પર 12 વર્ષથી વધુ સમય સુધી વિવાદ વગર કબજો રાખવામાં આવે છે, તો મૂળ માલિકનો માલિકીનો હક સમાપ્ત થઈ શકે છે. આ કાયદો ખેતીની જમીન તથા રહેઠાણ માટેના ઘરો – બંને માટે લાગુ પડે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આવા કેસમાં દાવો ન કરી શકે ભાડૂઆત

જો ભાડુઆત તમારા ફ્લેટમાં યોગ્ય ભાડા કરાર સાથે રહે છે, તો તે આવો કોઇ દાવો કરી શકતો નથી. ઉપરાંત, તમારે ભાડુઆતના નામે વીજળીનું કે પાણીનું બિલ ન કરાવવું.

જો તમારું ધ્યાન જાય કે ભાડુઆતનું વર્તન યોગ્ય નથી, તો તમે તેને નોટિસ આપી ફ્લેટ ખાલી કરાવી શકો છો. જો તમે આ બાબતોનું ધ્યાન નથી રાખતા, તો તમારા ફ્લેટમાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment