Get Rid Of Mosquitoes: ગરમીના દિવસોમાં મચ્છરનો ત્રાસ વધી જાય છે. રાતના સમયે જો બારી દરવાજા ખુલ્લા રાખવામાં આવે તો મચ્છરથી ઘર ભરાય જાય છે.
મચ્છર કરડવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેથી જ લોકો મચ્છર ઘરમાં ન ઘુસે તેવા પ્રયત્ન કરે છે. આજે અમે પણ તમને મચ્છર ઘરમાં ન આવે તે માટેનો ઉપાય જણાવીએ.

આ ઉપાય કેમિકલ ફ્રી છે એટલે કે મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે તમારે કેમિકલનો ઉપયોગ કરવાનો નથી. કેટલીક નેચરલ વસ્તુની મદદથી એક લિક્વીડ બનાવાનું છે.
આ લિક્વિડ એવું પાવરફુલ છે કે મચ્છર ઘરમાં આવશે તો જીવતા પાછા જશે નહીં. આ ઉપાયની મદદથી ફક્ત મચ્છર જ નહીં રાતના સમયે લાઈટ તરફ આકર્ષિત થતી જીવાત પણ મરી જશે.
મચ્છરનો નાશ કરવાનું લિક્વિડ બનાવવા માટે વિનેગર, ઓલિવ ઓઈલ અને શેમ્પૂની જરૂર પડશે. એક બાઉલમાં સમાન માત્રામાં ત્રણેય વસ્તુ મિક્સ કરી મિશ્રણ બનાવી લેવું.
આ મિશ્રણના બાઉલ ઘરના બારી દરવાજા પાસે રાખી દેવા. આ મિશ્રણની સુગંધથી મચ્છર આકર્ષિત થઈ તેની પાસે આવશે અને પછી તેમાં જ ફસાઈ જશે. સવારે તમે જોશો તો બાઉલમાં મચ્છર સહિતના જીવજંતુઓ હશે. આ બાઉલના લિક્વિડને ફેંકી ફરીથી નવું લિક્વિડ બનાવી રાખી દેવું.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ લિક્વિડ ઉપરાંત તમે ડુંગળી અને લસણની મદદથી પણ મચ્છર ભગાડી શકો છો. સાંજના સમયે ઘરના બારી દરવાજા બંધ રાખી ઘરમાં ડુંગળીની છાલ, લસણના ફોતરા અને તમાલપત્ર સળગાવો. તેનો ધુમાડો થોડીવાર ઘરમાં ફેલાવા દો. ત્યારબાદ બારી દરવાજા ખોલશો તો ઘરમાં મચ્છર નહીં આવે.
આ સિવાય તમે ઘરમાં એવા છોડ પણ રાખી શકો છો જેનાથી મચ્છર દુર ભાગે છે. એવા ઘણા ઈન્ડોર પ્લાંટ છે જેની આસપાસ મચ્છર ફરકતા નથી. તમે આ છોડ ઘરમાં રાખશો તો પણ ઘર મચ્છરના આતંકથી બચી જશે.