જો તમારા પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય છે તો તેનું પાન કાર્ડ કેન્સલ કરાવવું જરૂરી છે. તે માટે શું પ્રક્રિયા હોય છે, ચાલો તમને વિગતવાર જણાવીએ.
મહત્વપૂર્ણ દસ્તાવેજો
આજના સમયમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો વગર તમારા અનેક કામ અટકી શકે છે. એટલે તમારા પાસે આ બધાં દસ્તાવેજ હોવા જરૂરી છે.

પાન કાર્ડ
પાન કાર્ડ ભારતમાં વપરાતું એક ખૂબ જરૂરી દસ્તાવેજ છે. આવકવેરો રિટર્ન ફાઈલ કરવો હોય કે બેંક સંબંધિત કોઈપણ કામ હોય, પાન કાર્ડની જરૂર પડે છે. તેના વગર તમે આ બધાં કામ કરી શકતા નથી.
એક વ્યક્તિ એક પાન કાર્ડ
એક વ્યક્તિને સમગ્ર જીવનમાં માત્ર એક જ પાન કાર્ડ ફાળવવામાં આવે છે. જો કોઈના પાસે બે પેન કાર્ડ હોય તો તેમાંથી એક પાન કાર્ડ રદ કરાવવું પડે છે. એ જ રીતે, જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે પણ તેનું પાન કાર્ડ રદ કરાવવું પડે છે.
પાન કાર્ડ રદ કારવવાનો હક
જો તમારા પરિવારના કોઈ સભ્યનું અવસાન થયું હોય, તો તેનું પાન કાર્ડ કેન્સલ કરાવવું એટલા માટે જરૂરી છે કે પછી તેના પાન કાર્ડનો કોઈ ખોટો ઉપયોગ ન કરી શકે. પાન કાર્ડ રદ કરાવવાનો અધિકાર માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિના નજીકના સંબંધિત વ્યક્તિ અથવા કાનૂની વારસદારને હોય છે.
છેલ્લું ITR
જો મૃત્યુ પામેલો વ્યક્તિ ઇન્કમ ટેક્સ પેયર હોય તો તેનું છેલ્લું ITR (ઇન્કમ ટેક્સ રિટર્ન) ફાઈલ કરવું પડે છે, જેથી જો કોઈ બાકી ટેક્સ હોય તો તે પાછો મેળવી શકાય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પાન કાર્ડ રદ કરાવવાની પ્રક્રિયા
પાન કાર્ડ રદ કરાવવા માટે સંબંધિત એસેસિંગ ઓફિસર (Assessing Officer)ને લેખિત અરજીઓ આપવી પડે છે. તેમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ, પેન નંબર, જન્મ તારીખ અને મૃત્યુ તારીખનો ઉલ્લેખ કરવો પડે છે. આવકવેરા વિભાગ આ અરજીની તપાસ કર્યા બાદ પાન કાર્ડ રદ કરી દે છે.
અરજી કયા કરવી?
તમે આ સંપૂર્ણ પ્રક્રિયાની ઇન્કમ ટેક્સ વિભાગની નિકટની ઓફિસમાં જઈને અથવા તેમની વેબસાઈટ દ્વારા માહિતી મેળવી શકો છો.










