WhatsApp Group
Join Now
વિધવા સહાય મેળવતી બહેનો માટે હયાતીની ખરાઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પાટણ મામલતદાર કચેરીના પ્રથમ માળે ઓફીસ ટાઇમ દરમિયાન ચાલી રહી છે.

લાભાર્થી બહેનો માટે 30 જૂન 2025 સુધી હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત રાખવામાં આવી છે. હયાતીની ખરાઈ માટે વિધવા સહાય મેળવનાર બહેનોને રૂબરૂ કચેરીમાં હાજર રહેવું જરૂરી છે.
તેઓએ અરજી વખતે નીચેના દસ્તાવેજો લાવવાના રહેશે – આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક જેમાં સહાયની રકમ જમા થતી હોય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ તમામ દસ્તાવેજો, મામલતદાર કચેરીમાં જમા કરાવવા જરૂરી છે. જો હયાતીની ખરાઈ સમયમર્યાદામાં ન કરાવવામાં આવે તો વિધવા સહાય રકમમાં વિલંબ કે અટક થવાની સંભાવના છે.
WhatsApp Group
Join Now