× Special Offer View Offer

જો કોઈ બેન્ક ડૂબશે તો પણ પૈસા મળશે, જાણો આરબીઆઇની નવી યોજના…

WhatsApp Group Join Now

બેન્કોમાં થઇ રહેલા ગોટાળા અને બેન્કો ડૂબી જવાના કિસ્સામા હવે એ મોટો સવાલ બની ગયો છે કે શું તમારી જિંદગીની કમાણી બેન્કમાં પણ સુરક્ષિત છે ખરી?

ભારતમાં કરોડો લોકો પોતાની મહેનતની કમાણીમાં સેવિંગ્સ અને ફિક્સ્ડ ડિપોઝીટના રૂપે જમા કરે છે. પરંતુ શું જો બેન્ક અચાનક દેવાળું ફૂંકે તો શું? એવામાં તમારી જમા રકમ કેટલી સુરક્ષિત છે?

આ સવાલનો જવાબ આજની તારીખે છે ફક્ત રૂ. 5 લાખ, જ્યારે સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આ રકમ મર્યાદામાં વધારો કરવાનું વિચારી રહી છે.

શું છે ડિપોઝીટ ઇન્શ્યોરન્સ અને કેવી રીતે કામ કરે છે?

ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એ્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC), જે RBIની એક પેટાકંપની છે, જે દેશમાં દરેક વ્યાપારી બેન્કો અને સહકારી બેન્કોમાં જમા કરવામાં આવેલી રકમ પર વીમો આપે છે. તેનો ણતલબ એ કે કોઇ બેન્ક દેવાળું ફૂંકે તો બેન્કમાં જમા રકમ મહત્તમ રૂ. 5 લાખ (મૂળ રકમ + વ્યાજ) સુધીન વીમા રકમ મળે છે.

આ મર્યાદા પ્રતિ બેન્કમાં એક વ્યક્તિદીઠ છે, ભલે તમારી રકમ બેન્કની અલગ અલગ શાખાઓમાં કેમ ન હોય. પરંતુ તમારી રકમ અલગ અલગ બેન્કોમાં છે, તો દરેક બેન્ક માટે વીમો અલગથી લાગુ થાય છે.

કેમ વધારવામાં આવી શકે છે ડિપોઝીટ ઇન્શ્યોરન્સની મર્યાદા?

એક રિપોર્ટ અનુસાર RBI હવે આ વીમા મર્યાદા 5 લાખથી ઉપર વધારવાનું વિચારી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાઇ શકે છે. બજેટ સત્રની શરૂઆતમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે DICGC અને બેંકિંગ સિસ્ટમની વર્તમાન પરિસ્થિતિને જોયા પછી વીમા મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવશે. સંસદમાં એક સભ્યએ તેને 50 લાખ સુધી વધારવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

તાજેતરની બેન્ક કટોકટીથી આ પ્રશ્ન કેમ ઉભો થયો?

PMC બેંક કેસ (2019)

જ્યારે RBI એ પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેન્ક (PMC) પર પ્રતિબંધો લાદ્યા, ત્યારે હજ્જારો ખાતાધારકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક લોકોની પાસે લાખોમાં થાપણો હતી, પરંતુ તેમને ફક્ત 5 લાખ સુધીનું વીમા રક્ષણ મળ્યું હતુ.

Yes Bank કટોકટીRBI અને સરકારે સાથે મળીને યસ બેંકનો કબજો લીધો હતો, જો આ પ્રયાસ સફળ ન થયો હોત, તો લાખો ખાતાધારકોની મૂડી જોખમમાં મુકાઈ શકી હોત.

સહકારી બેન્કોની દુર્દશા

લક્ષ્‍મી સહકારી બેંક જેવી ઘણી નાની બેંકો બંધ થવાના કિસ્સાઓ બન્યા છે, જ્યાં ખાતાધારકોને તેમની થાપણો મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડી હતી.

વીમા મર્યાદા વધારવી શા માટે જરૂરી છે?

મોંઘવારીના આ યુગમાં 5 લાખ રૂપિયા પૂરતા નથી. આજે, એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારની ફિક્સ ડિપોઝિટ 10 લાખ કે તેથી વધુ છે. 5 લાખ રૂપિયાની મર્યાદા ન તો આરામ આપે છે કે ન તો સુરક્ષા.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

વૃદ્ધો અને ગ્રામજનોને વધુ સુરક્ષાની જરૂર છે. ગામડાંઓ અને નાના શહેરોના લોકો, ખાસ કરીને વૃદ્ધો, સંપૂર્ણપણે બેંક પર નિર્ભર છે. તેમના માટે, જમા કરાયેલી રકમ તેમના સમગ્ર જીવનની મૂડી છે.

આ ઉપરાંત, આ ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત કરશે. જો સરકાર ડિપોઝિટ વીમાની મર્યાદા વધારશે, તો તે સામાન્ય લોકોનો બેંકિંગ સિસ્ટમ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરશે.

WhatsApp Group Join Now

Leave a Comment