× Special Offer View Offer

શાકાહારી લોકો માટે વિટામિન B12નો ભંડાર છે આ ઘરેલું વસ્તુ, જાણો તેના અન્ય ફાયદા…

WhatsApp Group Join Now

ભારતીય રસોડામાં રહેલું જીરું સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણું લાભદાયી માનવામાં આવે છે. જીરાનો ઉપયોગ સામાન્ય રીતે સલાડ, રાયતા અથવા અન્ય વાનગીઓમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જણાવી દઈએ કે, જીરું વિટામિન B12 નું એક ઉત્તમ સ્રોત પણ છે.

વિટામિન B12 શરીર માટે ખૂબ જ આવશ્યક છે.

તેની ઉણપને કારણે થાક, નબળાઈ, માનસિક અવ્યવસ્થા, નર્વસ સિસ્ટમની તકલીફો અને એનિમિયા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

સામાન્ય રીતે વિટામિન B12 માટે માંસાહારને મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ જો તમે શાકાહારી હો, તો જીરું તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ત્યારે જાણો તેના સ્વાસ્થ્ય લાભ.

જીરુંના સ્વાસ્થ્ય લાભો

  • જીરું પાચનક્રિયા માટે ઉત્તમ છે. તેમાં રહેલા તત્ત્વો કબજિયાત દૂર કરવા અને પાચનતંત્રને સક્રિય રાખવામાં મદદ કરે છે.
  • રોજ જીરાંનું પાણી પીવાથી મેટાબોલિઝમ તેજ થાય છે, જે વજન ઘટાડવામાં સહાયક બની શકે છે.
  • જીરું શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં અને આંતરિક બળતરા ઘટાડવામાં પણ મદદરૂપ છે.

જીરું કેવી રીતે ખાવું?

જીરું, જેને વૈજ્ઞાનિક રીતે Cuminum cyminum તરીકે ઓળખવામાં આવે છે, વિટામિન B12થી ભરપૂર હોવાને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જો તમને વિટામિન B12 ની ઉણપ છે, તો તમે જીરુંને તમારા દૈનિક આહારમાં અલગ-અલગ રીતે શામેલ કરી શકો છો:

  • જીરું પીસીને પાવડર બનાવો અને તેને દહીં, સૂપ અથવા શાકમાં ઉમેરો.
  • હળદર સાથે મિક્સ કરીને તેનો ઉપયોગ મસાલા રૂપે કરો.
  • દરરોજ સવારે ખાલી પેટે જીરું પાણી પીવો – આ ઉપાય અત્યંત લોકપ્રિય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment