Garuda Purana: ગરુડ પુરાણમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના એવા રહસ્યનો ખુલાસો કરવામાં આવ્યો છે જેના વિશે દરેક વ્યક્તિને જાણવાની ઉત્સુકતા હોય છે.
ગરુડ પુરાણમાં કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન લોકો કરે તો જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે. ગરુડ પુરાણમાં મહત્વપૂર્ણ રહસ્યોની સાથે એવી જાણકારી પણ આપવામાં આવી છે જેના અનુકરણથી વ્યક્તિ સારું જીવન જીવી શકે.

ગરુડ પુરાણમાં દર્શાવેલી આવી જ એક મહત્વપૂર્ણ જાણકારી છે ભોજન સંબંધિત. ગરુડ પુરાણ અનુસાર જીવનમાં કેટલાક પ્રકારના લોકોથી દૂર રહેવું જરૂરી છે. કોઈકારણસર આવા લોકોનો સંગ થઈ પણ જાય તો પણ તેમના ઘરે ભૂલથી પણ ભોજન કરવા બેસવું નહીં તેવું ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે.
ગરુડ પુરાણ અનુસાર કેટલાક લોકો એવા હોય છે જેમના ઘરે જો કોઈ વ્યક્તિ ભોજન કરે તો તેના ખરાબ કર્મોનો પ્રભાવ ભોજન કરનાર પર પણ પડે છે.
આવા લોકોના ઘરનું ભોજન ખાવાથી વ્યક્તિનું જીવન બરબાદ પણ થઈ શકે છે અને તેની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કયા લોકોના ઘરમાં ભોજન કરવાનું ટાળવું જોઈએ.
વ્યાજ ખાનાર વ્યક્તિ
ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ વ્યાજખોરીથી રૂપિયા કમાઈ અથવા તો ખોટી રીતે ધન કમાઈને ઘરે લાવતો હોય તેના ઘરનું ભોજન કરવું નહીં.
આવા લોકો ગરીબ અને મજબૂર વ્યક્તિની લાચારીનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી પૈસા કમાય છે. આવા પૈસાથી ખરીદેલું ભોજન ખાવાથી ભોજન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
અપરાધીના ઘરનું ભોજન
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ચોર કે અપરાધી વ્યક્તિ હોય તેના ઘરે પણ ભોજન કરવું નહીં. આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી ભોજન કરનાર પણ પાપના ભાગીદાર બની જાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ભોજન કરનાર વ્યક્તિના વિચાર પણ અપરાધી જેવા જ દુષિત થવા લાગે છે તેથી આવા લોકોના ઘરે ભોજન કરવાથી પણ બચવું.
નશો કરનાર વ્યક્તિ
નશો કરનાર કે નશા સંબંધિત વસ્તુનો વેપાર કરનાર વ્યક્તિ અન્ય લોકોનું જીવન બરબાદ કરીને પોતાનું ઘર ભરે છે. આવા લોકોના ઘરે જમવાથી પણ ભોજન કરનારના જીવનમાં મુશ્કેલી ઉભી થાય છે. ગરુડ પુરાણ અનુસાર આવા લોકોના ઘરમાં પગ મૂકવાથી પણ બચવું જોઈએ.
બીમાર વ્યક્તિ
જો કોઈ વ્યક્તિના ઘરમાં લાંબા સમયથી બીમારી ફેલાયેલી હોય તો એવા વ્યક્તિના ઘરે પણ ભોજન કરવાથી બચો. બીમાર વ્યક્તિના ઘરે ભોજન કરવાથી ભોજન કરનારને પણ બીમારી થઈ શકે છે. અને બીમારી તેના ઘર સુધી પણ ફેલાઈ શકે છે.
ચરિત્રહીન સ્ત્રીના ઘરનું ભોજન
ગરુડ પુરાણ અનુસાર જે સ્ત્રી ચરિત્રહીન હોય તેના હાથનું ભોજન કરવું પણ અશુભ છે. આવી સ્ત્રીના ઘરે ભોજન ભૂલથી પણ કરવા બેસવું નહીં. જે સ્ત્રીનું ચરિત્ર ખરાબ હોય તેના હાથનું ભોજન કરનાર પણ તેના પાપનો ભાગીદાર બની જાય છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.