× Special Offer View Offer

આ બેન્કે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ ખતમ…

WhatsApp Group Join Now

બેંક એકાઉન્ટ ધારકો માટે એક મોટા રાહતના સમાચાર છે. હવે બચત ખાતા એટલે કે સેવિંગ્સ એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂર રહેશે નહીં. ખાતામાં પૈસા ન હોય તો પણ કોઈ દંડ કે ચાર્જ લાગશે નહીં. આ ફેરફાર આજથી એટલે કે 1 જૂનથી અમલમાં આવ્યો છે.

આ નિર્ણય સાથે કેનેરા બેંક દેશની પ્રથમ મોટી જાહેર ક્ષેત્રની બેંક બની ગઈ છે જેણે તમામ પ્રકારના બચત ખાતાઓ પર સરેરાશ માસિક બેલેન્સ (AMB) ની જરૂરિયાતને સંપૂર્ણપણે નાબૂદ કરી છે.

ઝીરો બેલેન્સ સાથે ખોલી શકાશે એકાઉન્ટ

હવે જો ગ્રાહકો ઇચ્છે તો તેઓ શૂન્ય બેલેન્સ સાથે પણ પોતાનું ખાતું ચલાવી શકે છે અને તેમને કોઈ દંડ નહીં. આ નિયમ સામાન્ય બચત ખાતા, પગાર ખાતા અને NRI બચત ખાતા પર લાગુ થશે. આનો અર્થ એ થયો કે આ ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની કોઈ જવાબદારી રહેશે નહીં.

આ પગલું ગ્રાહકોના પૈસાની સલામતી સુનિશ્ચિત કરશે જ પરંતુ તેમને કોઈપણ ખચકાટ વિના ડિજિટલ બેંકિંગ અને સેવાઓ સાથે જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરશે.

મિનિમમ બેલેન્સની ઝંઝટમાંથી મુક્તિ

અત્યાર સુધી ગ્રાહકોને દર મહિને તેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવું પડતું હતું. જો ખાતામાં મિનિમમ બેલેન્સ ન અહોય તો તેના પર બેન્ક ચાર્જ લગાવતી હતી પણ હવે આનો અંત આવી ગયો છે. “આ પહેલ અમને ખરેખર દંડ-મુક્ત બચત ખાતું ઓફર કરતી દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક બનાવે છે.”

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ઓછી આવક ધરાવતા જૂથ, ગ્રામીણ વિસ્તારોના ખાતાધારકો અને પહેલી વાર બેંકિંગમાં જોડાનારાઓને સૌથી વધુ ફાયદો થશે.

કોટક મહિન્દ્રા બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જમાં વધારો કર્યો

આજથી કોટક મહિન્દ્રા બેંક તેના ક્રેડિટ કાર્ડ પરના રિવોર્ડ ઘટાડી રહી છે અને વ્યાજ દરમાં વધારો કરી રહી છે. કોટક રોયલ, લીગ અને અર્બન કાર્ડ પર દરેક પોઈન્ટનું મૂલ્ય હવે 10 પૈસાથી ઘટાડીને 7 પૈસા કરવામાં આવ્યું છે.

કોટક 811 કાર્ડ્સનું રિવોર્ડ મૂલ્ય 25 પૈસાથી ઘટાડીને 10 પૈસા અને ઇન્ફિનિટ કાર્ડ પર ₹1 થી ઘટાડીને 70 પૈસા કરવામાં આવ્યું છે. ઉપરાંત વ્યાજ દર પણ 3.50% થી વધારીને 3.75% કરવામાં આવ્યો છે.

WhatsApp Group Join Now

Leave a Comment