લોકો આખુ વર્ષ રેફ્રિજરેટર ચાલુ રાખતા હોય છે. જો કે રેફ્રિજરેટરની સૌથી વધુ ઉપયોગ ઉનાળામાં થાય છે. આજે લોકોનો ઘરોમાં રોજિંદા વપરાશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ઉપયોગ વધ્યો છે.
રેફ્રિજરેટર ઉપરાંત હવે ઘરના રસોડામાં માઈક્રોવ, મીક્ષર, ઓવન, હેન્ડ મીક્સી અને ઇલેક્ટ્રીક ઘંટી પણ હોય છે. આવી સ્થિતિમાં રસોડામાં એક જ સ્થાન પર આટલા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના કારણે કયારેક શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે.
સૌથી વધુ રેફ્રિજરેટરનો વપરાશ
રસોડામાં સૌથી વધુ રેફ્રિજરેટરનો વપરાશ થતો હોય છે. માટે તેની સાચવણી પણ એટલી જ જરૂરી બને છે. લોકો આધુનિક ઈલેટ્રોનિક્સ વસ્તુઓ વસાવે તો છે પરંતુ તેનું યોગ્ય ધ્યાન રાખતા નથી.

ઇલેકટ્રોનિકસ વસ્તુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તે ઉપકરણો લાંબા સમય સુધી ટકી શકતા નથી. રેફ્રિજરેટર હોય કે અન્ય ઇલેક્ટ્રોનિકસ વસ્તુઓ લાંબા સમય સુધી સાચવવા હોય તો યોગ્ય પદ્ધતિ જાણવી જરૂરી છે.
રસોડામાં તમે જ્યાં પણ રેફ્રિજરેટર રાખો ત્યારે દિવાલ અને રેફ્રિજરેટર વચ્ચે અંતર હોવું જરૂરી છે. પરંતુ કોઈને ખબર નથી કે રેફ્રિજરેટર અને દિવાલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?
રેફ્રિજરેટર અને દિવાલ વચ્ચે આટલું અંતર જરૂરી
ઇલેકટ્રોનિકસ વસ્તુઓના જાણકાર એક શખ્સે આ મામલે માહિતી આપી કે રેફ્રિજરેટર અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછું 4 ઇંચ અથવા 10 સેમીનું અંતર હોવું જોઈએ. કારણ કે ફ્રિજની ઠંડી હવા બહાર નીકળવા માટે થોડી સ્પેસ હોવી જરૂરી છે.
જો યોગ્ય ગેપ ન હોય તો, કૂલિંગ મોટરમાંથી નીકળતી ગરમી યોગ્ય રીતે બહાર નીકળી શકશે નહીં અને ફ્રીજ પર દબાણ આવશે. ફ્રીજ પર દબાણ થવાના કારણે વીજ પ્રવાહ પર દબાણ વધતા વીજળીનું બિલ વધી શકે છે.
શા માટે હોવું જોઈએ અંતર?
રેફ્રિજરેટરના મોડેલ અનુસાર દિવાલ સાથેના અંતરમાં બદલાવ થઈ શકે છે. માટે રેફ્રિજરેટરની સાથે મેન્યુઅલ આપવામાં આવતું હોય તેનું વાંચન ખાસ કરવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
યોગ્ય હવા પરિભ્રમણ સુનિશ્ચિત કરવા માટે, દિવાલ અને રેફ્રિજરેટર વચ્ચે યોગ્ય અંતર હોવું મહત્વપૂર્ણ છે. જો ફ્રિજ અને દિવાલ વચ્ચે યોગ્ય અંતર ન હોય, તો ફ્રિજનું કોમ્પ્રેસર વધુ ગરમ થવા લાગશે જેના કારણે કોમ્પ્રેસર ખરાબ થઈ શકે છે.