દર્શલ રાવલ/અમદાવાદ: જો તમે પેંશનર છો અને તેમા પણ ગુજરાત સરકારી પેંશનર તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે સરકારી પેંશનર ને હવે હયાતી દર્શાવવા માટે ધક્કા ખાવા જવું નહિ પડે. આવા પેંશનર ને ઘરે લાભ મળે માટે રાજ્ય સરકારે પોસ્ટ વિભાગ સાથે ટાઇપ કરી ઇ સર્ટિફિકેટની કામગીરી શરૂ કરી છે. ત્યારે જોઈએ આ સેવા શુ છે અને કઈ રીતે તેનો લોકો લાભ લઇ શકશે.
રાજ્ય સરકાર સાથે મળી ટાઈપ કરી એક ઉમદા કામગીરી શરૂ કરી છે. અને તે છે રાજ્ય સરકાર ના રિટાયર્ડ કર્મચારી ને પેંશન મળે તે માટેની સુવિધા. જે સુવિધા છેલ્લા 5 વર્ષથી બેંક અને પોસ્ટ વિભાગમાં ચાલી રહી છે. જ્યાં પેંશનરો પહોંચી જીવન પ્રમાણપત્ર કાઢી પેંશન નો લાભ લઈ રહ્યા છે. તેઓ ને હવે ઘરે બેઠા આ સેવાનો લાભ મળશે. અને તેમાં પણ ખાસ અશક્ત છે તેઓને આ યોજના નો મોટો લાભ થશે.

જે પ્રક્રિયા માટે અમદાવાદ માં પોસ્ટ વિભાગના અધિકારી દ્વારા પોસ્ટમેન અને જરૂરી સ્ટાફ ને જીવન પ્રમાણપત્ર કાઢવા અને સમજૂતી આપવા માટે માહિતગાર કરાયા. જેથી ક્યાંય પણ કર્મચારી અટવાય નહિ અને કામગીરી ઝડપી થઈ શકે. જે સેવા રાજય સરકારના પેંશનર ને મફત મળી રહેશે.
જોકે બાકીના પેંશનરે નિયમ પ્રમાણે 70 રૂપીયા ચાર્જ ચૂકવવાનો રહેશે. જે સેવામાં એનરોલ થયેલા રાજ્ય સરકાર ના પેંશનર નો ખર્ચ રાજ્ય સરકાર પોસ્ટ વિભાગને ચૂકવશે. જે એવા માટે સરકારે પોસ્ટ વિભાગને પેંશનર નો ડેટા પણ આપી દીધો છે. જેમાં રાજ્યમાં દોઢ લાખ જ્યારે અમદાવાદમાં 55 હજાર આસપાસ આવા પેંશનરો આ સેવાનો લાભ મળશે.
રાજ્ય સરકારે પોસ્ટ વિભાગ પાસે ટાઈપ કરેલ કામગીરી ના પેંશનરોએ પણ આ સેવા શરૂ થતાં તેનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે. જ્યાં પોસ્ટ વિભાગની ટીમ કે જેઓને તેમનો ડેટા મળ્યો છે તે ડેટા આધારે ટીમ પહોંચી.
રસીદ મિતા અરબની પેંશન માટે ની જીવન પ્રમાણપત્ર માટેની પોસ્ટ વિભાગના કર્મચારી એ મોબાઈલ ડીવાઈસ અને બાયોમેટ્રિક સિસ્ટમ સાથે ની પ્રક્રિયા કરી અને રસીદ મિયા અરબ એ ઘરે જ બેસીને ગણતરીની મિનિટોમા જીવન પ્રમાણપત્ર મેળવી લીધું. જે પ્રક્રિયાને અરજદારે પણ આવકારી. તો પોસ્ટ ઓફિસમાં સેવાનો લાભ લીધેલા રિટાયર્ડ કર્મચારીએ પણ સરકાર ની આ સેવાની વખાણી હતી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી આ પ્રક્રિયાની ટ્રાયલ ચાલતી હતી. જેમાં સફળતા મળતા આજથી આ સેવાને સફળતા પૂર્વક શરૂ કરી દેવાઈ. જે સેવા શરૂ કરતાની સાથે આજે બપોરે 12 સુધી રાજ્યમાં અંદાજે 900 લોકોએ લાભ લીધો. જેમાં રાજ્યમાં સૌથી વધુ સાબરકાંઠા તે બાદ રાજકોટ બાદમાં પાટણ અને બાદમાં અમદાવાદમાં લોકોએ લાભ લીધો. જેનો મતલબ એ થયો કે આ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે સેવા રાજ્ય સરકારના પેંશનર માટે આશીર્વાદ સમાન બની છે.