આપણામાંથી ઘણા લોકો જો સાંજે નાસ્તો હેવી કર્યો હોઈ તો ઘણી વાર ખાધા વગર સૂઈ જાય છે. પણ જો આપણે આખા મહિના માટે રાતે ભોજન સ્કિપ કરી દઈએ તો શું? આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આખા મહિના માટે રાત્રિભોજન છોડી દેવાથી તમારા શરીર અને એકંદર સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર પડી શકે છે.
સમયસર આહાર અથવા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ નામની આ પદ્ધતિ તાજેતરના વર્ષોમાં વજન ઘટાડવામાં અને તમારા ચયાપચયને વેગ આપવા માટે તેની ક્ષમતા માટે ધ્યાન ખેંચી રહી છે.

રાત્રે ભોજન સંપૂર્ણપણે છોડી દેવાથી તમારા શરીરની કામગીરીમાં અણધાર્યા ફેરફારો થઈ શકે છે. અહીં જાણો જો તમે એક મહીના સુધી રાત્રે ભોજન નથી લીધા તો શરીરમાં શું ફેરફાર થાય?
એક મહિના સુધી રાત્રે ભોજન ન લેવાથી શરીરમાં કેવા ફેરફાર થાય?
હેલ્થ એક્સપર્ટએ કહ્યું, ‘જ્યારે તમે રાત્રે ભોજન નથી કરતા ત્યારે શરીરમાં અનેક ફેરફારો થાય છે. રાત્રિભોજન છોડી દેવાથી, દિવસ દરમિયાન તમે જે ખોરાક લો છો તેનું પ્રમાણ ઘટે છે, જેના કારણે તમારી કેલરીનું પ્રમાણ ઘટે છે અને વજન ઘટાડવાની શક્યતા વધી જાય છે, ખોરાક ન લેવાથી શરીર એનર્જી માટે ગ્લાયકોજેન પર આધાર રાખે છે.
આનાથી સંગ્રહિત ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. આનાથી લોહીમાં બ્લડ સુગર ઓછું થાય છે, જે ચક્કર અને થાક તરફ દોરી શકે છે.
શરીરમાં ઘ્રેલિન હોર્મોન જે ભૂખ લાગે તો મગજને સંકેત આપે છે, તે વધે છે, અને ભૂખના હોર્મોન્સનું લાંબા સમય સુધી દમન કુદરતી આહાર પ્રણાલીને વિક્ષેપિત કરી શકે છે. તમારા શરીરને તેની આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે ઓછી કેલરીનો વપરાશ કરવાની અનુકૂલન થાય છે ત્યારે તમે ચયાપચયમાં ઘટાડો અનુભવી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જ્યારે રાત્રે ભોજન સ્કિપ કરવાથી વજન ઘટાડવા જેવા ટૂંકા ગાળાના ફાયદા થઈ શકે છે, ત્યારે એક્સપર્ટ કહે છે કે તેનાથી લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તેનાથી પોષણની ઉણપ, સ્નાયુઓનું નુકસાન, ચયાપચયમાં ઘટાડો અને ખરાબ ખાવાની આદતો થઈ શકે છે.
આ લોકોએ રાત્રે ભોજન લેવાનું સ્કિપ ન કરવું?
બાળકો, વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ, હાઈપોગ્લાયકેમિક દર્દીઓ અને સ્પોર્ટ્સ પર્સન્સ એ રાત્રે ભોજન લેવાનું છોડવું જોઈએ નહીં. એક્સપર્ટએ એવી પણ સલાહ આપી હતી કે પોતાના આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.