રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ KYC નિયમોને વધુ સરળ બનાવતા નવા માર્ગદર્શિકા જારી કર્યા છે જેથી બેંક ખાતાધારકો તેમના લાંબા સમયથી બંધ ખાતા અને દાવો ન કરાયેલી થાપણો ફરીથી ખોલી શકે.
આ નિયમો અનુસાર, હવે ગ્રાહકને ખાતું ફરીથી ખોલવા માટે તે જ શાખામાં જવાની જરૂર નથી જ્યાં ખાતું ખોલવામાં આવ્યું હતું. KYC અપડેટ હવે કોઈપણ બેંક શાખામાંથી કરી શકાય છે, પછી ભલે તે હોમ બ્રાન્ચ હોય કે ન હોય.

આ સાથે, ગ્રાહકો હવે વીડિયો કોલ દ્વારા પણ KYC કરી શકે છે. આને વીડિયો-ગ્રાહક ઓળખ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ સુવિધા ખાસ કરીને વૃદ્ધો, ગછઈં અને ગ્રામીણ વિસ્તારોના લોકો માટે ફાયદાકારક છે. KYC બાકી હોય તો પણ વ્યવહારોની મંજૂરી છે.
ગુરુવારે જારી કરાયેલા એક નોટિફિકેશનમાં, રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે હવે બેંકિંગ કોરસપોન્ડન્ટસને KYC અપડેટ અથવા સમયાંતરે અપડેટ કરવાની મંજૂરી છે.
રિઝર્વ બેંકે એમ પણ કહ્યું હતું કે KYC અપડેટ પ્રક્રિયાનું પાલન કરવા માટે બેંકોએ ગ્રાહકોને ઓછામાં ઓછા એક વખત પત્ર દ્વારા અને ઓછામાં ઓછા ત્રણ આગોતરા નોટિસ દ્વારા જાણ કરવી પડશે.
રિઝર્વ બેંકે બેંકો અને NBFC ને નિર્દેશ આપ્યો છે કે તેઓ કહેવાતા ઓછા જોખમવાળા ગ્રાહકો પાસેથી તમામ વ્યવહારોને મંજૂરી આપે, ભલે તેમનું KYC બાકી હોય. આ ગ્રાહકો પાસે તેમના KYC અપડેટ કરવા માટે 30 જૂન, 2026 સુધીનો સમય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કેન્દ્રીય બેંકે બેંકિંગ સંવાદદાતાઓને KYC અપડેટ કરવાનો અધિકાર આપ્યો છે. બેંકિંગ સંવાદદાતાઓ NGO, સ્વ-સહાય જૂથો (SHGs), માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (MFIs) જેવી સંસ્થાઓ છે જેમને બેંક તેના એજન્ટ તરીકે કામ કરવા માટે કરાર કરે છે.
જો તમારા સ્થાનિક કરિયાણાની દુકાનના માલિકને બેંક તરફથી પરવાનગી મળી હોય તો તેઓ પણ બેંકિંગ સંવાદદાતા તરીકે પેનલમાં સામેલ થઈ શકે છે.