આજના સમયમાં હાર્ટ એટેકથી મોતની ઘટના વધી રહી છે. અવારનવાર સાંભળવા મળે છે કે લોકો પોતાની દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે હાર્ટ એટેક આવી જાય અને તેમનું મોત ઘટનાસ્થળે જ થઈ જાય. ઘણીવાર દર્દીનો જીવ હોસ્પિટલ પહોંચવાની સાથે થઈ જાય છે.
આ સ્થિતિમાં જો દર્દીને હોસ્પિટલ પહોંચતા સુધીમાં શરુઆતની 2 મિનિટમાં યોગ્ય સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે. હેલ્થ એક્સપર્ટ અને હૃદય રોગ નિષ્ણાંતો એવું જણાવે છે કે હાર્ટ એટેકથી મોતને ઘણી હદે ટાળી શકાય છે. જો એ વાતની ખબર હોય કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ?

આ સાથે જ એ જાણવું પણ જરૂરી છે કે હાર્ટ એટેકના લક્ષણો કયા હોય છે. આ લક્ષણો જણાતા જો વ્યક્તિને શરુઆતની 2 મિનિટમાં યોગ્ય સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે.
હાર્ટ એટેક ક્યારે આવે?
હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હાર્ટ સુધી ઓક્સીજન અને રક્ત પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય. સામાન્ય રીતે આ બ્લોકેજ પ્લાકના કારણે થાય છે. જે ફેટ, કોલેસ્ટ્રોલ કે અન્ય પદાર્થના જામી જવાથી થાય છે. જ્યારે આ પ્લાક ફાટી જાય છે તો તેના કારણે હાર્ટના સ્નાયૂ સુધી લોહી પહોંચતું નથી જેના કારણે હાર્ટ એટેક આવે છે.
હાર્ટ એટેકના લક્ષણો
હાર્ટ એટેક દરમિયાન વ્યક્તિને છાતીમાં દુખાવો, ખેંચાણ, દબાણ, ભારેપણું અનુભવાય છે. હાર્ટ એટેકમાં દુખાવો છાતીથી શરુ થઈ ડાબા હાથ, ખભા, ગરદન, જડબા, પીઠ સુધી ફેલાય શકે છે.
હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું?
કાર્ડિયોલોજી એક્સપર્ટ અનુસાર હાર્ટ એટેક આવે એટલે ધમનીઓમાં ક્લોટ બની ગયો છે. આ ક્લોટને તોડવા માટે દર્દીને તુરંત 3 દવાઓ આપી સકાય છે. આ 3 દવાઓમાં ડિસ્પ્રિન, ક્લોપિદોગ્રેન અને કોલેસ્ટ્રોલની દવા એટોરવાસ્ટેટિનનો સમાવેશ થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ 3 દવાનું મિશ્રણ દર્દીને આપવું જોઈએ. ધમનીમાં બનેલા ક્લોટને તુરંત તોડવા માટે 1 ડિસ્પ્રિન, 2 ક્લોપિડોગ્રેલ અને 1 એટોરવાસ્ટેટિન ટેબલ પાણીમાં ઘોળી પી લેવી જોઈએ અથવા ચાવી જવી જોઈએ.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.