× Special Offer View Offer

તમારી આંખોમાં થતાં બદલાવને નજરઅંદાજ ન કરો, કિડનીમાં ગંભીર સમસ્યા હોઈ શકે છે…

WhatsApp Group Join Now

અમુક લોકોને એવી સમસ્યા હોય છે કે, તેઓ જ્યારે સવારે ઉઠે ત્યારે આંખોમાં સોજો અને થોડી ઝાંખપ અનુભવાય છે, ત્યારે લોકો એવું વિચારે છે કે ઊંઘના અભાવે આવું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે લક્ષણો વધવા લાગે છે ત્યારે ખબર પડે છે કે કિડની નબળી પડી રહી છે.

શું તમે જાણો છો કે અનેક વખત આપણી આંખો એવા સંકેતો આપે છે જેને આપણે નગણ્ય સમજીને અવગણીએ છીએ. જ્યારે વાસ્તવમાં આ અંદરથી વધતી જતી કિડનીની સમસ્યાની ચેતવણી હોય છે?

આંખો નીચે સોજો

જ્યારે કિડની તેના મુખ્ય કાર્યમાં નિષ્ફળ, એટલે કે, શરીરમાંથી ઝેરી પદાર્થો અને વધારાનું પ્રોટીન દૂર કરી શકતી નથી ત્યારે પ્રોટીન પેશાબ દ્વારા બહાર આવવા લાગે છે. તેનાથી આંખો નીચે સોજો આવે છે, ખાસ કરીને સવારે.

ઝાંખી દ્રષ્ટિ

કિડની ફેલ્યોર બ્લડ પ્રેશર વધારી શકે છે અને આંખોની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડી શકે છે અથવા વસ્તુઓ ઝાંખી દેખાઈ શકે છે.

આંખોમાં બળતરા કે ખંજવાળ આવવી

જ્યારે કિડની શરીરમાંથી ઝેરી તત્વોને સંપૂર્ણપણે દૂર કરવામાં અસમર્થ બને છે ત્યારે તેની અસર આંખો સહિત સમગ્ર શરીરમાં દેખાય છે. આંખોમાં સતત બળતરા કે ખંજવાળ આવવી એ ગંભીર સંકેત હોઈ શકે છે.

આંખોમાં શુષ્કતા

કિડની સંબંધિત સમસ્યાઓ શરીરમાં પ્રવાહીના સંતુલનને ખલેલ પહોંચાડે છે, જેના કારણે આંખોમાં શુષ્ક અને અસ્વસ્થતા અનુભવવા લાગે છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે તો કિડની ફંક્શન ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય છે.

આંખોમાં પીળાશ આવવી

જો તમારી આંખોનો સફેદ ભાગ આછો પીળો દેખાવા લાગે છે તો તે કિડની તેમજ લીવરની સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિ શરીરમાં બિલીરૂબિન અને અન્ય ઝેરી તત્વોના જમાં થવાના કારણે થાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ લક્ષણોને સમજવું શા માટે જરૂરી?

કિડનીની બીમારી ‘સાયલન્ટ કિલર’ જેવી હોય છે. તેમાં ક્યારેક શરૂઆતના તબક્કામાં કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. પરંતુ જો આંખો જેવા નાજુક અંગ વારંવાર સંકેતો આપી રહ્યા હોય તો તેને અવગણવા તમારા માટે ભવિષ્યમાં મોંઘા સાબિત થઈ શકે છે.

લક્ષણો દેખાય તો શું કરવું?

તમારા પેશાબની તપાસ અને બ્લડ પ્રેશરને નિયમિતપણે ચેક કરાવો. તમને વારંવાર સોજો આવે કે ઝાંખી દ્રષ્ટિ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. સ્વસ્થ આહાર લો અને મીઠાનું સેવન મર્યાદિત કરો. પુરતું પાણી પીવો અને દારૂ કે ધૂમ્રપાન કરવાનું ટાળો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment