ભારત સરકાર લોકોની અલગ-અલગ જરૂરિયાતોને લઈને નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા એવી છે કે તેમાં સારવાર માટે ઘણો ખર્ચો આવતો હોય છે. જે લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ નથી લઈ શકતા તેવા જરૂરિયાતમંદ લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના ભારત સરકાર દ્વારા દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને મફત સારવાર આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. આ માટે, પહેલા યોજના હેઠળ પાત્ર લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે.

આ પછી આ આયુષ્માન કાર્ડ વડે, કાર્ડધારક તે હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે જે આ યોજના હેઠળ નોંધાયેલ છે. પરંતુ જો કોઈ કાર્ડધારક તેનું આયુષ્માન કાર્ડ ગુમાવે છે, તો શું તે મફત સારવારનો લાભ મેળવી શકે છે કે નહીં? તો ચાલો આના વિશે જાણીએ…
કેટલી છે લિમિટ?
જો તમે આયુષ્માન કાર્ડ બનાવડાવો છો, તો તે પછી તમને મફત સારવારનો લાભ મળે છે, જેનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આમાં, તમને દર વર્ષે 5 લાખ રૂપિયાનું કવર મળે છે, એટલે કે, કાર્ડધારક તેના આયુષ્માન કાર્ડ દ્વારા વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.
આ હોસ્પિટલોમાં મળે છે સુવિધા
અમયુષ્માન કાર્ડ ધારકોને મફતમાં સારવાર મળે છે, જેની માટે આયુષ્માન કાર્ડ લઈને તેમણે આ યોજનામાં નોંધાયેલી હોસ્પિટલોમાં જવાનું હોય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ યોજનામાં ઘણી પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલો પણ રજિસ્ટર્ડ છે. આ સત્તાવાર લિન્ક https://hospitals.pmjay.gov.in/Search/ પર જઈને હોસ્પિટલ વિશે જાણી શકો છો.
ચોરી કે ગુમ થવા પર મફતમાં સારવાર કેવી રીતે મળશે?
- જો તમરું આયુષ્માન કાર્ડ ખોવાઈ કે ચોરી થઈ ગયું છે તો પણ તમને મફતમાં સારવાર મળી શકે છે. તેની માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો..
- સૌ પ્રથમ તમારે આ યોજનામાં નોંધાયેલ હોસ્પિટલમાં જવું પડશે.
- આ પછી તમારે હોસ્પિટલમાં આયુષ્માન હેલ્પ ડેસ્ક પર જવું પડશે.
- અહીં તમારે આયુષ્માન મિત્રને મળવું પડશે.
- આયુષ્માન મિત્રને કહો કે તમે આયુષ્માન કાર્ડધારક છો, ત્યારબાદ તેઓ તમારી પાસે તમારું આયુષ્માન કાર્ડ માંગશે.
- આવા કિસ્સામાં, તમારે તેમને તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર (જે નંબર આયુષ્માન કાર્ડ સાથે જોડાયેલ છે) જણાવવો પડશે.
- આ પછી, આયુષ્માન મિત્ર અધિકારી સિસ્ટમમાં તમારા નંબર દ્વારા તમારી ઓળખ ચકાસે છે અને તે આમ કરવાનો ઇનકાર કરી શકતો નથી.
- બધું બરાબર થયા પછી, તમને મફત સારવારનો લાભ આપવામાં આવે છે.