ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાની ખાતરી કરવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. રેલવેએ તમામ પેસેન્જર કોચમાં CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. તેની જાહેરાત રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે.
તેમણે કહ્યું કે, સુરક્ષાને પ્રાથમિકતા આપતા ભારતીય રેલવે તમામ 74,000 ડબ્બા અને 15,000 એન્જિનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ મહત્ત્વનો નિર્ણય શનિવારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ દ્વારા ઉત્તર રેલવેમાં પ્રાયોગિક ધોરણે લગાવેલા સીસીટીવી કેમેરાના લાભની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવ્યો છે.
મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, મુસાફરોની ગોપનીયતાની ખાતરી કરવા માટે સીસીટીવી કેમેરા મુખ્યત્વે દરવાજા પાસે, સામાન્ય અવરજવરવાળા વિસ્તારમાં લગાવવામાં આવશે.
ટ્રેનમાં કેમેરા ક્યાં લગાવવામાં આવશે?
પેસેન્જર કોચ: દરેક રેલવે કોચમાં કુલ ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાંથી બે દરેક પ્રવેશ રૂટ પર હશે.
રેલ એન્જિન: દરેક એન્જિનમાં છ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આમાં એન્જિનની આગળ, પાછળ અને બંને બાજુ એક-એક કેમેરાનો સમાવેશ થશે.
ટ્રેનમાં સીસીટીવી લગાવવાના ફાયદા
અહીં ઉલ્લેખનિય છે કે ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે. ભારતીય રેલવે દરરોજ સરેરાશ 13,000 થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરે છે, જેમાં મેલ/એક્સપ્રેસ, પેસેન્જર અને ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ લગભગ 2.4 કરોડ મુસાફરો મુસાફરી કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સીસીટીવી કેમેરા ચોરી, છેડતી, ઉત્પીડન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરે છે. તબીબી કટોકટી, આગ અથવા કોઈપણ અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં, સીસીટીવી ફૂટેજ ઘટનાની પરિસ્થિતિને સમજવામાં અને અધિકારીઓને ઝડપથી અને અસરકારક રીતે પ્રતિભાવ આપવામાં મદદ કરી શકે છે.










