શરીરને સ્ફૂર્તિમાં રાખવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે. ઊંઘ પૂરી ના થવાને કારણે દિવસ દરમિયાન થાક લાગે છે પણ આનું કારણ હમેશા અપૂરતી ઊંઘ નથી હોતી પરંતુ ઘણી વખત શરીરમાં અમુક જરૂરી વિટામીન્સની ખામીના લીધે પણ તમને દિવસ દરમિયાન થાક અને સુસ્તી અનુભવાય છે.
જો રાતે પૂરતી ઊંઘ લીધા પછી સવારે સુસ્તી, આળસ અને ઊંઘ આવ્યા કરે તો તેની પાછળ શરીરમાં આર્યન, વિટામિન અને મિનરલ્સના અસંતુલન પણ પ્રભાવ કરે છે. ઘણા વિટામિન્સ છે જેની ઉણપથી વધુ પડતી ઊંઘ આવે છે. ચાલો જાણીએ કે કયા વિટામિનની ઉણપથી વધુ પડતી ઊંઘ આવે છે.

કયા વિટામિનની ઉણપથી આવે છે વધુ ઊંઘ?
વિટામિન D
શરીરમાં વિટામિન Dની માત્રા ઓછી હોય તો ઊંઘની સમસ્યા થાય છે. વિટામિન Dની ઉણપથી દિવસભર થાક, નબળાઈ અને વધુ પડતી ઊંઘ આવી શકે છે. શરીરમાં જો વિટામિન D ઓછું હોય તો તેના લીધે કેલ્શિયમ-ફોસ્ફરસની ઉણપ પણ વર્તાય છે. આ કારણે હાડકામાં દુખાવો થાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને વ્યક્તિ દિવસભર આળસ અનુભવે છે.
વિટામિન B-12
વિટામિન B-12 ની ઉણપ પણ વધુ પડતી ઊંઘનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. વિટામિન B12 ની ઉણપથી ન્યુરોલોજીકલ અને માનસિક સમસ્યાઓનું જોખમ વધે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરીરમાં વિટામિન B12 ની ઉણપ તમને આળસ અનુભવ કરાવે છે. તમને દિવસભર ઊંઘ આવે છે. અને ઘણીવાર યાદશક્તિ પાડે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ખાસ કરીને શાકાહારી લોકોમાં વિટામિન B12 ઓછું હોય છે. ઉંમર વધવાની સાથે, વિટામિન B-12 ની ઉણપ પણ વધે છે. માટે ખોરાકમાં B-12 યુક્ત આહાર લેવાનું રાખો.
વધુ પડતી ઊંઘનું કારણ
માત્ર વિટામિન D અને વિટામિન B-12 જ નહીં પરંતુ મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા મિનરલ્સની ઉણપ પણ શરીરમાં આળસ, થાક અને નબળાઈનું કારણ બને છે. આના કારણે તમને દિવસભર ઊંઘ આવે છે. ઊંઘ્યા પછી પણ શરીરમાં સુસ્તીનો અનુભવ થાય છે. જો તમને લાંબા સમય સુધી આવું લાગે છે, તો તમારે ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.