Health: આ છે દુનિયાની સૌથી શક્તિશાળી શાકભાજી, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ…

WhatsApp Group Join Now

Kantola Health Befits: કંકોડા કે કંટોલા કે કંટોળા એક ઔષધીય શાકભાજી છે, જે વેલ પર ઉગે છે જેનું કદ 2 થી 3 સેમી હોય છે. જે રંગે લીલા હોય છે અને પાકે એટલે પીળા અને અંદરથી લાલ રંગના થઇ જાય છે.

કંટોળાને કારેલાની જેમ જ બહારની છાલ ઉતારી તેનું શાક બનાવાય છે. જે સ્વાદની સાથે શરીરની તંદુરસ્તી માટે પણ સૌથી ઉત્તમ છે.

ચોમાસું આવતાંજ બજારમાં તાજી લીલી શાકભાજી આવવાની શરૂઆત થઇ જાય છે. જેમાં કારેલા, કંટોળાથી લઇને પરવળ જેવા શાકભાજી ચોમાસામાં જોવા મળે છે. આ શાકભાજીએ કારેલાની પ્રજાતિની છે. જોકે એ કારેલા જેટલી કડવી હોતી નથી

આ એક ઔષધિય શાકભાજી છે. જેને ખાવાથી અનેકફાયદા થાય છે. તો ચાલો જાણીએ તમારા શરીરને આ શાકભાજી કયા કયા લાભો આપે છે

કંટોળા પ્રોટીનથી ભરપૂર હોય છે. આ શાકભાજીને આયુર્વેદમાં સૌથી તાકાતવર શાકભાજી ગણાવાયું છે. નિષ્ણાંતો કહે છે આ શાકભાજીમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. ભારતીય શાકભાજી માં ઉપયોગમાં લેવાતી તમામ શાકભાજીઓ માં સૌથી વધારે પ્રોટીન કંટોળામાંથી મળે છે.

આ શાકભાજીમાં માંસથી કરતા વધારે 50 ટકા પ્રોટીન હોય છે. કંટોળામાં જોવા મળતા પોષક તત્વોમાં સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા રહેલી છે.

કંટોળામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, ફાઇબર સિવાય ઘણા ખનિજ તત્વ રહેલા છે. આ બધા પોષક તત્વોની હાજરીને કારણે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આંખોને પણ સ્વસ્થ રાખે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

કંટોળામાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોને લગતી સમસ્યાઓ દૂર કરવાની સાથે આંખોને સ્વસ્થ રાખે છે. તેનું સેવન આંખના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે પણ આંખોમાં નબળાઇ અનુભવી રહ્યા છો, તો તમારા આહારમાં કંટોળાનો સમાવેશ કરો.

ચોમાસામાં ઘણી વખત લીવર સંબંધિત સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં કંટોળાનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ લીવરને ડિટોક્સ કરે છે અને તેને સ્વસ્થ પણ રાખે છે. કંટોળાનું સેવન શારિરીક તંદુરસ્તી માટે ફાયદાકારક કારક હોય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment