Food Style: આજના સમયમાં બજારમાં મળતી દરેકે દરેક ચીજવસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. ખાણી-પીણીથી લઇને અન્ય સામાનમાં પણ મોટા પાયે ભેળસેળ થઇ રહી છે.
આવા સંજોગોમાં પનીર પણ એમાંથી કઇ રીતે બાકાત હોઇ શકે! ભેળસેળયુક્ત કે પછી તદ્દન નકલી પનીર ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસરો થઇ શકે છે.

પનીરના ફાયદા
આમ જોઇએ તો, દૂધમાંથી બનતું હોવાથી પનીરને સ્વાસ્થ્ય માટે ઘણું ઉત્તમ માનવામાં આવે છે. વાસ્તવમાં, પનીર એક એવું સુપરફૂડ મનાય છે, જેમાંથી પ્રોટીન, કૅલ્શિયમ તથા વિટામિન ડી સારી એવી માત્રામાં પ્રાપ્ત થાય છે. પરંતુ, જ્યારે પણ તમે બજારમાં મળતું તૈયાર પનીર ઘરે લાવો તો એનું પરીક્ષણ જરુરથી કરો.
શુદ્ધ પનીરને ઓળખવું શી રીત
પનીરને હાથ વડે દબાવીને પણ તમે એની પરખ કરી શકો છો. આ માટે પનીરનો એક ટુકડો હાથમાં લઇને હળવેથી મસળો. આમ કરવાથી જો પનીર આસાનીથી તૂટવા લાગે તો સમજી જાઓ કે પનીર નકલી છે અને એમાં ઝાઝી માત્રામાં ભેળસેળ કરવામાં આવેલી છે.
આવું પનીર ખાવું સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. આનાથી વિપરીત, અસલી પનીર સહેલાઇથી તૂટતું નથી. અસલ પનીર સૉફટ હોય છે અને દબાણ આપવા છતાં જલદીથી ભાંગી જતું નથી.
પનીરમાં હોઇ શકે છે યૂરિયા અને ડિટર્જન્ટ
ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ એટલા જોખમી સ્તરે વધ્યું છે કે, કેટલાંક લોકો તો એમાં કપડાં ધોવાનો પાઉડર (ડિટર્જન્ટ) અથવા તો યૂરિયા ભેળવવાનું પાપ પણ કરી રહ્યાં છે! આ સંજોગોમાં, આવી વસ્તુઓ ખાવી એના કરતા તો ન ખાવી વધુ સારી!
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કે અમુક વાર તમારી પાસે કોઇ વિકલ્પ હોતો નથી. એવા સમયે, ડિટર્જન્ટ અને યૂરિયાની ભેળસેળવાળા પનીરની પરખ ઘરે જ કરી શકાય છે. એના માટે પ્રથમ તો પનીરને પાણીમાં ઉકાળી લો. હવે એના પર સોયાબીન અથવા તુવેરની દાળનો પાઉડર ભભરાવો.
10 થી 15 મિનિટ સુધી એમ નેમ રહેવા દો. જો એનો રંગ લાલ થઇ ગયેલો જણાય તો એ પનીર નકલી હોઇ શકે છે તથા એમાં ડિટર્જન્ટ અને યૂરિયા ભેળવવામાં આવ્યા હોવાની પૂરેપૂરી શક્યતા છે.










