× Special Offer View Offer

મચ્છરના એક ડંખે 9 વર્ષની દીકરીને હોસ્પિટલ પહોંચાડી, માતાની એક ભૂલ ભારે પડી…

WhatsApp Group Join Now

મચ્છર કરડવું બહુ સામાન્ય બાબત ગણાય છે, પણ ક્યારેક આ નાની ઘટના મોટું આરોગ્યસંબંધી જોખમ બની શકે છે. ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં રજાઓ મનાવવા ગયેલી 9 વર્ષની એવાને જ્યારે એક મચ્છર કરડ્યું ત્યારે બધાને લાગ્યું કે એ સામાન્ય ખંજવાળ જ હશે. પણ થોડા દિવસોમાં જ વાત ખૂબ ગંભીર બની ગઈ.

એવાની માતા, 36 વર્ષની બેકે જણાવ્યું કે તેમને શરૂઆતમાં એન્ટીબેક્ટેરિયલ ક્રીમ લગાવીને ઘાને શાંત કરવાનું નક્કી કર્યું. શરૂઆત બધું સામાન્ય લાગતું, પણ સ્થિતિ ખરાબ બની ગઈ.

“ઘા ધીમે ધીમે લાલ અને મોટો થતો ગયો અને એવાએ કહ્યું કે હવે એને ઘણો દુખાવો થાય છે,” બેક યાદ કરે છે. “સવારના સમયે તો ઘા ત્રણ ગણો મોટો થઇ ગયો અને અમારું બાળક ચાલવામાં પણ અસમર્થ હતી.”

સ્થિતિ વધારે બગડે એ પહેલા તેઓ તાત્કાલિક ડૉક્ટર પાસે પહોંચવા માંગતા હતા, પણ નજીકના ક્લિનિકમાં અપોઇન્ટમેન્ટ મળ્યું નહીં. અંતે, એક ઑનલાઇન નર્સની મદદ લીધી. નર્સે તરત હોસ્પિટલ જવાની સલાહ આપી.

હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરોએ એવાનો ઘા જોયો અને તરત તપાસ શરૂ કરી. ઘા ઘૂંટણ પાછળ હોય એટલે વધુ ગંભીર સ્થિતિ હતી. ટેસ્ટ પછી જણાયું કે તેને સ્ટેફ નામનો બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યો છે – અને એ પણ MRSA પ્રકારનો, જે દવા સામે પ્રતિરોધક હોય છે.

ચેપ પગના ઉપરના ભાગ સુધી ફેલાઈ ગયો હતો. ત્વચા અગ્નિ જેવી ગરમ અને લાલ થઈ ગઈ હતી, અને લસિકા ગાંઠો પણ ફૂલવા લાગી હતી.

“ઘા પર અમે પાટો બાંધ્યો હતો, પણ જ્યારે એ પાટો કાઢ્યો ત્યારે ત્વચા અલગ પડી ગઈ. એ સમયે ચેપના નવા ધબ્બા અલગ અલગ આઠ જગ્યાએ દેખાયા,” બેક કહે છે. એવાએ ત્રણ દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા. રોજે બે થી ત્રણ વાર મોટી પેન-પેડ્સ બદલાવા પડતા અને પાણીથી દૂર રાખવું પણ જરૂરી બન્યું.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હવે એવાની ત્વચા પર ઘા તો સાજા થઇ રહ્યા છે, પણ મન પર અસર હજુ રહી ગઈ છે. “તે ઘાને સ્પર્શ કરતા પણ ડરે છે, એમ લાગે છે કે ફરીથી ચેપ થઈ જશે,” બેક કહે છે.

ફેમિલી હવે દરેક સભ્ય માટે ખાસ કાળજી રાખી રહી છે – જેમ કે ક્લોરહેક્સિડિન વોશથી રોઝ સ્નાન કરવું, જેથી બેક્ટેરિયાની પુનરાવૃતિ અટકાવી શકાય.

આ ઘટના શીખવે છે કે મચ્છર કરડવાનું હળવાશથી લેવું નહીં. જો કરડવાથી ચામડી વધુ લાલ, ઉઠેલી, દુખાવાવાળી કે ઘા જેવી બની જાય, તો તરત તબીબી સહાય લેજો – કારણ કે મોડું પાડવું, ક્યારેક જીવન માટે જોખમી બની શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment