સરસવનું તેલ લગભગ દરેક ઘરમાં વપરાય છે. પણ શું તમને તેના ગુણો વિશે માહિતી છે? તે શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આવો જાણીએ તેના અનેક ફાયદા વિશે.
સરસવ તેલના ફાયદા
સરસવનું તેલ જેને કડવું તેલ પણ કહેવાય છે, તેની તાસીર અને ગુણધર્મોને કારણે અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. ભારતીય ઘરોમાં ઘણીવાર રસોઈ માટે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

આ તેલ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. સરસવના તેલમાં એન્ટિફંગલ ગુણ હોય છે. તેથી તે શરીરને ઠંડી અને ચેપથી બચાવવામાં મદદરૂપ થાય છે. આવો જાણીએ તેના ગુણો વિશે.
દાંતનો દુઃખાવો
જો તમારા દાંતમાં દુઃખાવો રહેતો હોય તો તમારે સરસવના તેલથી હળવે હાથે દાતોના પેઢા પર માલિશ કરવી જોઈએ. આથી દાંત મજબૂત બને છે.
ચામડીની સમસ્યા
સરસવના તેલમાં વિટામિન E હોય છે. તે ત્વચાને ભેજ આપે છે. જેમની ત્વચા શુષ્ક હોય છે, તેમણે તેનો ઉપયોગ કરવો જોઈએ.
ઇમ્યુનિટી વધારવા
સરસવનું તેલ શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. દરેક વયના લોકો તેનું સેવન કરી શકે છે.
વજન ઘટાડવું
સરસવના તેલમાં નાયાસિન, થાયામિન, ફોલેટ જેવા વિટામિન્સ હોય છે. તે શરીરના મેટાબોલિઝમને વધારે છે. જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
આંખોની દ્રષ્ટિ તેજ કરે
કહેવાય છે કે સરસવનું તેલ ખાવાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે. તેમજ પગના તળિયામાં તેની માલિશ કરવાથી આરામદાયક અનુભવ થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સાંધાના દુઃખાવાથી રાહત
જેમને સાંધામાં દુઃખાવો રહેતો હોય તેમણે સરસવના તેલથી માલિશ કરવી જોઈએ. ગરમ કરીને તેલથી માલિશ કરવાથી દુઃખાવામાં ઝડપથી રાહત મળે છે.
ભૂખ વધારવી
સરસવનું તેલ ખાવાથી ભૂખ વધે છે. આ તેલનો ઉપયોગ કરવાથી ઘણી બધી તકલીફો દૂર થાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.