જો તમે ભારતીય રેલ્વેની સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરો છો, તો તમારા માટે કેટલીક બાબતો જાણવી જરૂરી છે.
ઘણી વખત છેલ્લી ક્ષણે તમારો પ્લાન કેન્સલ થઈ જાય છે અને તમારે ટિકિટ કેન્સલ કરવી પડે છે. આવી સ્થિતિમાં, રેલ્વેમાંથી કેટલાક પૈસા કાપ્યા પછી, બાકીના પૈસા તમને પરત કરવામાં આવે છે.
જો તમે ‘કન્ફર્મ’, ‘આરએસી’ અથવા ‘વેઇટિંગ’ ટ્રેનની ટિકિટ રદ કરો છો, તો અમુક રકમ કાપવામાં આવે છે. જો કે, આ રકમ ટિકિટ કેન્સલ કરવાના સમયના આધારે બદલાય છે.
આ સિવાય રેલવેની કેન્સલેશન ફી ટિકિટના પ્રકાર પર નિર્ભર કરે છે. એટલે કે તે ફર્સ્ટ એસી, એસી ચેર કાર અને સેકન્ડ ક્લાસ પ્રમાણે બદલાય છે.

વંદે ભારત ટિકિટ કેન્સલેશન ફી પણ ટિકિટની કેટેગરી અને ટ્રેનના નિર્ધારિત સમય પહેલા કેટલો સમય બાકી છે તેના પર આધાર રાખે છે.
વંદે ભારત એ આરક્ષિત વર્ગની એસી ચેર કાર છે, જે 800 કિમીથી ઓછા અંતરના શહેરોને જોડે છે. મુસાફરીમાં 10 કલાકથી ઓછો સમય લાગે છે.
આ ટ્રેનમાં આઠ કે 16 કોચ છે. ટ્રેનસેટને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી હતી.
આ ટ્રેન 2018માં લોન્ચ કરવામાં આવી હતી અને ટ્રાયલ દરમિયાન તેને 183 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી. જો કે, તેની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 160 કિમી/કલાક છે.
જો તમે ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા તમારી ટિકિટ કેન્સલ કરો છો, તો દરેક પેસેન્જર પાસેથી એક નિશ્ચિત રકમ કાપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સિવાય એસી ફર્સ્ટ ક્લાસ/એક્ઝિક્યુટિવ ક્લાસ માટે કેન્સલેશન ચાર્જ 240 રૂપિયા છે.
પરંતુ જો તમે ટ્રેન ઉપડવાના 12 થી 48 કલાક પહેલા તમારી ટિકિટ કેન્સલ કરો છો તો 25 ટકા ભાડું કાપવામાં આવશે. આ સિવાય મિનિમમ કેન્સલેશન ચાર્જ પણ ચૂકવવો પડશે.
આ સિવાય જો ટ્રેન ઉપડવાના 4 થી 12 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો કુલ ભાડામાંથી 50 ટકા કાપવામાં આવે છે.
આ સિવાય મિનિમમ કેન્સલેશન ચાર્જ પણ ચૂકવવો પડશે. ચાર્ટ તૈયાર થયા પછી ઈ-ટિકિટ રદ કરી શકાતી નથી. પરંતુ તમે આ માટે TDR ભરી શકો છો.
ટીડીઆર એટલે કે ટિકિટ ડિપોઝીટ રસીદ ફોર્મ ઓનલાઈન ભરવામાં આવે છે. આ ફોર્મ ભરવાથી તે સ્પષ્ટ થઈ જાય છે કે તમે ટિકિટ બુક કરાવી હતી પરંતુ મુસાફરી કરી નથી.
જો તમારી પાસે RAC (રિકોન્ફર્મેશન) અથવા વેઇટિંગ લિસ્ટ ટિકિટ છે, તો તમે તેને ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલાં રદ કરી શકો છો. આના પર તમને પૂરા પૈસા પાછા મળશે, તેમાંથી થોડી રકમ જ કપાશે.