× Special Offer View Offer

કપાળ પર બામ લગાડતા માથું ઉતરી જાય છે, જાણો એવું શું હોય બામમાં કે માથું દુખતું બંધ થઈ જાય? જાણો…

WhatsApp Group Join Now

જ્યારે પણ માથામાં દુખાવો થાય ત્યારે સૌથી પહેલા બામ લગાડવામાં આવે છે. બામ લગાડવાથી માથામાં ઠંડકનો અનુભવ થાય છે. સાથે જ થોડીવારમાં માથાનો દુખાવો પણ ઓછો થતો હોય તેમ લાગે છે. તમને પણ ક્યારેક તો વિચાર આવ્યો હશે કે બામમાં એવી કઈ દવા હોય છે કે જેના કારણે માથાનો દુખાવો મટી જાય છે?

હકીકતમાં બામમાં કેટલાક ખાસ તત્વો હોય છે જેને ત્વચા પર લગાડો કે તુરંત જ તે એક્ટિવ થઈ જાય છે અને કામ કરવાનું શરૂ કરી દે છે. બામમાં મુખ્ય રીતે મેન્થોલ અને કપૂર હોય છે. કોઈપણ બામ હોય તેમાં આ બે વસ્તુ મુખ્ય હોય છે. આ બંને વસ્તુ પ્રાકૃતિક છે અને તેમાં ઠંડક કરવાનો ગુણ હોય છે.

જ્યારે તમે બામ માથા પર લગાડો છો તો મેન્થોલ અને કપૂર ત્વચાના સંપર્કમાં આવે છે અને ત્વચાની નસોને ઉત્તેજિત કરે છે. આપણી ત્વચામાં એવા રિસેપ્ટર હોય છે જે ઠંડી વસ્તુને અનુભવ કરે છે. મેન્થોલ અને કપૂર આ રિસેપ્ટર્સને એવી રીતે સક્રિય કરે છે કે ત્વચા પર ઠંડકનો અનુભવ થવા લાગે.

જોકે બામ લગાડવાથી તીવ્ર માથાનો દુખાવો તુરંત મટતો નથી. પરંતુ બામ લગાડવાથી દુખાવામાં આરામ મળી જાય છે. ઠંડકના કારણે સ્નાયુને આરામ મળે છે અને દુખાવાનો અનુભવ ઘટવા લાગે છે. સાથે જ બામની જે સુગંધ હોય છે તે શાંતિનો અનુભવ કરાવે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

બામ લગાડવાથી સ્નાયુ રિલેક્સ થઈ જાય છે અને ઊંઘ પણ સારી રીતે આવે છે. ટૂંકમાં કહીએ તો બામમાં કોઈ ખાસ પ્રકારની પેઈન કિલર કે દવા નથી હોતી. તેમાં મેન્થોલ અને કપૂર હોય છે જે સ્નાયુને રિલેક્સ કરે છે અને જેના કારણે આરામનો અનુભવ થાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment