× Special Offer View Offer

ક્યારેક શિવ-પાર્વતીનું ઘર હતું બદ્રીનાથ ધામ, તો તેને છોડવું કેમ પડ્યું? જાણો તેની પૌરાણિક કથા…

WhatsApp Group Join Now

ઉત્તરાખંડના અલકનંદા નદીના કિનારે હિમાલયની ગોદમાં આવેલું બદ્રીનાથનું મંદિર ચાર ધામોમાં મુખ્ય ધામ છે. શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુએ પોતે અહીં ધ્યાન કર્યું હતું.

જ્યારે વિષ્ણુ ભગવાન જ્ઞાનની શોધમાં હિમાલય તરફ ચાલવા લાગ્યા ત્યારે તેમને રસ્તામાં એક સુંદર સ્થળ દેખાયું જે તેમને ધ્યાન માટે પસંદ કર્યું હતું. જ્યારે વિષ્ણુ ભગવાન ત્યાં ગયા અને જોયું તો ભગવાન શિવ અને માતા પાર્વતી પહેલેથી જ એક ઝૂંપડીમાં બેઠા હતા.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ભગવાન વિષ્ણુ આ સ્થાન પર તપસ્યા કરવા માંગતા હતા. તેમને ડર હતો કે જો તે તપસ્યા માટે આ ઘર માંગશે તો ભગવાન શિવ ક્રોધિત થશે. ભગવાન શિવના ક્રોધને કારણે તેઓ આ સ્થાન માંગવા માંગતા ન હતા. ભગવાન વિષ્ણુએ મહાદેવ પાસેથી આ સ્થાન માંગવા એક ઉપાય વિચાર્યો હતો.

ભગવાન વિષ્ણુએ બાળકનું રૂપ કર્યું ધારણ

ભગવાન વિષ્ણુ બાળકના રૂપમાં ઝૂંપડીની સામે પ્રગટ થયા અને રડવા લાગ્યા. બાળકનો રડવાનો અવાજ સાંભળીને, દેવી પાર્વતી દયાભાવથી તેની તરફ દોડ્યા અને બાળકને ઉપાડવા લાગ્યા. શિવના ઇનકાર બાદ પણ પાર્વતીએ સાંભળ્યું નહીં અને શિવને નિર્દયી કહીને બાળકને ખોળામાં લઈને ઘરની અંદર ગયા. બાળકને દૂધ પીવડાવ્યા બાદ તેને સુવડાવી દીધું. ત્યાર બાદ શિવ અને પાર્વતી નજીકના તપ્ત કુંડમાં સ્નાન માટે ગયા.

ભગવાન વિષ્ણુએ દરવાજો કર્યો બંધ

સ્નાન કરીને પાછા ફર્યા બાદ મહાદેવે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. માતા પાર્વતીએ તે બાળકને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ મહાદેવ ના પાડી રહ્યા હતા.

ભગવાન વિષ્ણુની આ લીલા બાદ મહાદેવ ત્યાંથી પ્રસ્થાન કરવા લાગ્યા. પ્રસ્થાન બાદ તે કેદારનાથ પહોંચ્યા. ત્યારથી કેદારનાથ ભગવાન ભોલેનાથનું નિવાસસ્થાન બન્યું અને બદ્રીનાથ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન બન્યું.

ભગવાન વિષ્ણુએ છળથી લીધું મહાદેવનું ઘર

સમય સમય પર પોતાની લીલાઓ બતાવનાર વિષ્ણુ ભગવાન માતા પાર્વતી અને ભોલેનાથ પાસેથી બાળકના રૂપમાં આવીને છળ કરીને આ ઘર મેળવ્યું હતું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ આ સ્થાન પર ધ્યાન કર્યું હતું. ત્યાર બાદથી આ સ્થાનને બદ્રીનાથ ધામ કહેવામાં આવ્યું.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment