જરૂરીયાતમંદ દર્દીઓને મફત સારવારની આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના તરફ હોસ્પીટલોનો રસ ઓછો થતો હોય તેમ હોસ્પીટલોની નોંધણીમાં ઘટાડો થયો છે. વર્ષ 2024 માં દર મહિને સરેરાશ 316 હોસ્પીટલોની નોંધણી થતી હતી તે સંખ્યા ચાલુ વર્ષે 2025 માં ઘટીને માત્ર 111 ની રહી ગઈ છે.
નેશનલ હેલ્થ ઓથોરીટી દ્વારા રજુ કરવામાં આવેલી આંકડાકીય માહીતી મુજબ ચાલુ વર્ષનાં ચાર મહિનામાં દેશભરમાં 443 હોસ્પીટલોમાં પીએમજેવાય યોજનામાં નોંધણી કરાવી છે. જાન્યુઆરીમાં 161, ફેબ્રુઆરીમાં 187, માર્ચમાં 40, એપ્રિલમાં 15, હોસ્પીટલોની નોંધણી થઈ હતી. મે મહિનામાં સંખ્યા માત્ર 20 ની હતી.

આરોગ્ય સંગઠનોના કહેવા પ્રમાણે સારવારની નીચા દર તથા સરકાર દ્વારા બીલના નાણા ચુકવવામા કરાતા વિબંલથી ખાનગી હોસ્પીટલો રસ લેતી નથી. સરકાર તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે નવી સીસ્ટમને કારણે સંખ્યા અપડેટ થવામાં ઢીલ હોવાની શકયતા છે.
પીએમજેએવાય યોજના પશ્ચિમ બંગાળ સિવાય દેશભરનાં રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોમાં લાગુ છે. 2000 પ્રકારની સારવાર મફતમાં કરવામાં આવે છે. કેન્સર-કિડનીથી માંડીને ઓર્થોપેડીક સુધીની સારવાર સામેલ છે.
દિલ્હીમાં જાણીતી હોસ્પીટલ ચેઈનનાં સીઈઓએ એમ કહયું કે સરકારી સારવારનાં સરકારી દરથી હોસ્પીટલ દ્વારા દર્દી પર કરાતો ખર્ચ પણ નીકળી શકતો નથી. સરકાર દર વધારે તો અનેક હોસ્પીટલો તેમાં જોડાવા તૈયાર થઈ શકે તેમ છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પીએમજેવાય યોજના હેઠળ સારવારનાં દરમાં વધારો કરી દેવા ઈન્ડીયન એસોસીએશને પણ સરકારમાં રજુઆત કરી છે. સંસદનાં ગત સત્રમાં એક પ્રશ્નનાં જવાબમાં આરોગ્ય રાજયમંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું હતું કે 2018 થી દેશભરની 609 હોસ્પીટલો યોજનામાંથી નીકળી ગઈ હતી.
તે પાછળનાં અનેક કારણો હતા. જે અંતર્ગત હોસ્પીટલ બંધ થઈ હોય સ્ટાફ શોર્ટેજ હોય સરકારી સારવાર દર ઓછા લાગતા હોય. જેના કારણે હોઈ શકે છે. ગુજરાત અને છતીસગઢમાં અમુક સારવાર માત્ર સરકારી હોસ્પીટલોમાં જ માન્ય રાખવાનો નિયમ પણ કારણરૂપ છે.