× Special Offer View Offer

સહારા ઇન્ડિયામાં ફસાયેલા પૈસા મામલે આવ્યાં મોટા સમાચાર, હવે આટલા રૂપિયા રિફંડ મળશે…

WhatsApp Group Join Now

જે લોકોના પૈસા સહારા ઇન્ડિયા (Sahara India)માં ફસાયેલા છે તેમના માટે સારા સમાચાર છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે 28 જાન્યુઆરી, 2025 સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના 11,61,077 થાપણદારોને કુલ 2,025.75 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે લોકોના પૈસા હજુ પણ અટવાયેલા છે તેઓ વેબસાઇટ દ્વારા તેમના પૈસા પાછા મેળવી શકે છે.

અમિત શાહે લોકસભામાં શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે 28 જાન્યુઆરી, 2025 સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના 11,61,077 થાપણદારોને કુલ 2,025.75 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે આ ચુકવણી એક વેબસાઇટ દ્વારા કરવામાં આવી રહી છે અને સમગ્ર પ્રક્રિયા ડિજિટલ છે. તેનું નિરીક્ષણ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી કરી રહ્યા છે અને એમિકસ ક્યુરી ગૌરવ અગ્રવાલ તેમની મદદ કરી રહ્યા છે.

શાહે જણાવ્યું હતું કે, બધી અરજીઓની યોગ્ય ઓળખ અને જમા કરાયેલ રકમના પુરાવાના આધારે પારદર્શક રીતે ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં દરેક થાપણદારને તેમના આધાર લિંક્ડ બેન્ક ખાતામાં મહત્તમ 50,000 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.

જોકે, CRCS-સહારા રિફંડ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રોકાણકારો 5,00,000 લાખ રૂપિયા સુધી પાછા ફેરવવા માટે ક્લેમ કરી શકે છે.

નવી માહિતી શું છે?

CRCS-Sahara Refund પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે તે રોકાણકારો જેમની 5 લાખ રૂપિયા સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓ તેમના રિફંડ માટે અરજી કરી શકે છે. જોકે, 5 લાખ રૂપિયાથી વધુની રકમ માટે અરજી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

આ પોર્ટલ 29 માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓના થાપણદારોને રિફંડ આપવા માટે બનાવવામાં આવ્યું છે. આ ચાર સહારા ગ્રુપ સહકારી મંડળીઓ છે.

હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ., કોલકાતા

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, લખનઉ

સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, ભોપાલ

સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, હૈદરાબાદ

જરૂરી દસ્તાવેજો

જો કોઈ રોકાણકાર 50,000 રૂપિયાથી વધુ રકમનો દાવો કરી રહ્યો હોય તો પાન કાર્ડ ફરજિયાત રહેશે. આ ઉપરાંત, અરજી કરવા માટે આ શરતો પૂરી કરવી પડશે.

  • મોબાઇલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ.
  • આધાર સાથે બેન્ક ખાતું લિંક હોવું ફરજિયાત છે.
  • બધી સહારા સમિતિઓમાં જમા કરાયેલી રકમની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે.

ક્લેમ કેવી રીતે કરી શકાય?

સૌપ્રથમ RCS-Sahara Refund પોર્ટલ પર જાવ. તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવો. તમારી સંપૂર્ણ ડિપોઝિટ માહિતી ભરો. પાન કાર્ડ (જો રકમ 50,000 રૂપિયાથી વધુ હોય તો) અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અરજી સબમિટ કર્યા પછી રકમ 45 દિવસની અંદર તમારા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

WhatsApp Group Join Now

Leave a Comment