રાત્રે ઊંઘ ના આવતી હોય તો ઊંઘતા પહેલા પી લો આ લીલા પાનનો ઉકાળો, ગાઢ નીંદર આવી જશે…

WhatsApp Group Join Now

આજના સમયમાં મોટાભાગના લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન રહે છે. ઘણા લોકો મોડી રાત્રે ઊંઘે છે અને સવારે લેટ ઉઠે છે, જેના કારણે તેમનો આખો દિવસ ખૂબ જ ખરાબ હોય છે. સારા સ્વાસ્થ્ય માટે સમયસર ઊંઘવું અને જાગવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભાગદોડ ભરેલી જિંદગી અને તણાવના કારણે ઘણા લોકો ઊંઘ નહીં આવવાના કારણે પરેશાન રહે છે.

જો તમે પણ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો અમે તમારા માટે ખાસ ઉકાળો લઇને આવ્યા છીએ, જેને તમે સૂતા પહેલા પી શકો છો. તેને પીવાથી રાત્રે વધુ સારી ઊંઘ આવે છે.

ઊંઘતા પહેલાં પીવો પાનના પત્તાનો ઉકાળો

તમે રાત્રે પાન પત્તાનો ઉકાળો બનાવીને પી શકો છો. તેમાં ઘણા એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી વાળા ગુણ હોય છે, જે તણાવને ઘટાડે છે, જેનાથી સારી ઊંઘ આવે છે.

પાનના પત્તાનો ઉકાળો બનાવવાની રીત

  • 3-4 તાજા પાનના પત્તા
  • 2 કપ પાણી
  • અડધી ચમચી વરિયાળી
  • અડધો ચમચો અજમો
  • 1 ચમચી મધ

પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો

પાનનો ઉકાળો બનાવવા માટે સૌ પ્રથમ પાનને બરાબર ધોઈને તેના નાના-નાના ટુકડા કરી લો. હવે એક તપેલીમાં બે કપ પાણી લો અને તેમાં પાનના બધા જ ટુકડા નાખો. તમે તેમાં વરિયાળી અને અજમો ઉમેરો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હવે આ મિશ્રણને ધીમી આંચ પર લગભગ 10 મિનિટ સુધી ઉકાળો અને તેને અડધો કરી નાખો. હવે તમે તેને ફિલ્ટર કરો. તમે તેમાં મધ ઉમેરીને પી શકો છો. ઊંઘવાના લગભગ અડધા કલાક પહેલાં આ ઉકાળો પીવો.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment