મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારની ખાસ યોજના, વ્યાજમુક્ત લોન મેળવો અને પોતાનો ધંધો શરૂ કરો…

WhatsApp Group Join Now

Lakhpati Didi Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકારો મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે અનેક પહેલો કરી રહી છે. આવી જ એક ખૂબ જ ઉપયોગી અને અસરકારક યોજના છે – લખપતિ દીદી યોજના.

આ યોજના દ્વારા, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેમને આત્મનિર્ભર બનવાની તક મળે છે.

આ યોજના શું છે?

લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે અને તેમને સ્વ-સહાય જૂથો (Self Help Groups) સાથે જોડવામાં આવે છે. તાલીમ બાદ મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને આવકના નવા સ્ત્રોત ઉભા કરી શકે છે.

લાભ અને લોનની સુવિધા:

યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર કોઈપણ વ્યાજ લાગતું નથી, એટલે કે લોન સંપૂર્ણપણે વ્યાજમુક્ત હોય છે. આથી મહિલાઓને વ્યવસાય શરૂ કરવામાં નાણાકીય સહાય મળે છે અને કોઇ આર્થિક દબાણ રહેતું નથી.

લાભ મેળવવા માટે પ્રક્રિયા:

  1. પહેલા તમારે સ્થાનિક સ્વ-સહાય જૂથ (SHG)માં જોડાવું પડશે.
  2. ત્યારબાદ, તમારે કૌશલ્ય વિકાસ તાલીમ લેવી પડશે.
  3. તાલીમ પૂર્ણ થયા પછી તમારે તમારી વ્યવસાય યોજના તૈયાર કરીને SHG પાસે રજૂ કરવી પડશે.
  4. SHG આ યોજના સરકારને મોકલશે અને મંજૂરી બાદ લોન આપવી રહેશે.
  5. મળેલી લોનથી તમે તમારો વ્યવસાય શરૂ કરી શકશો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આવશ્યક દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • આવકનો પુરાવો
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • મોબાઈલ નંબર

લખપતિ દીદી યોજના મહિલાઓને માત્ર તાલીમ જ નથી આપતી, પણ તેમને નાણાકીય સહાય પણ આપે છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. આવી યોજનાઓથી મહિલાઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને સમાજમાં તેઓ વધુ સશક્ત ભૂમિકા નિભાવી શકશે.

WhatsApp Group Join Now

Leave a Comment