ટેકનોલોજીએ ખરેખર આધુનિકતાના આ સમયમાં ઘણા કામોને સરળ બનાવી દીધા છે પરંતું જ્યારથી AI આવ્યુ છે ત્યારથી કલાકોનું મુશ્કેલ કામ પણ થોડી સેકન્ડોમાં પુરુ થઈ જાય છે.
ChatGPT જેવા AI ટૂલ્સ પર લોકોની નિર્ભરતા વધતી જાય છે. પરંતું શું તમે જાણો છો આ ટુલ્સ તમને કઈ રીતે મુર્ખ બનાવે છે? હાલમાં એક સ્ટ઼ડીમાં ચેટજીપીટીને લઈને એક ખૂલાસો થયો છે કે આ AI ટૂલ્સ લોકોને મૂર્ખ બનાવી રહ્યું છે. એવું પણ કહી શકાય કે AI આવ્યા બાદ બાળકો તેમના માઈન્ડનો ઉપયોગ ઓછો કરે છે.

MITના મિડીયા લેબ દ્વારા લોકોના માઈન્ડ પર પડી રહેલા પ્રભાવ બાબતે કરવામાં આવેલા એક નવા સ્ટડીમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય અને શિખવા માટે ચેટજીપીટી જેવા જનરેટિવ AI ટૂલનો ઉપયોગ વાસ્તવમાં સમય સાથે લોકોની વિચારવાની ક્ષમતાને નબળી બનાવી દે છે.
સ્ટુડન્ટ પર કરવામાં આવેલા સ્ટડીમાં થયો ખૂલાસો
એક રિસર્ચમાં રિસર્ચકર્તાઓએ બોસ્ટન ક્ષેત્રના 18 થી 39 વર્ષની ઉંમરના 54 સ્ટુડન્ટ્સને ત્રણ ગૃપમાં વિભાજીત કરી દીધા હતા. પછી દરેક ગૃપના સ્ટુડન્ટ્સને AI ટૂલની મદદથી નિબંધ લખવા માટે કહેવામાં આવ્યું હતું.
આ પ્રક્રિયા દરમિયાન સંશોધકોએ ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રાફી દ્વારા વિદ્યાર્થીઓમાં મગજની પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું. તેનું પરિણામ ચિંતામાં મુકી દે તેવું હતું કારણકે જે વિદ્યાર્થીઓ ChatGPTનો ઉપયોગ કરી રહ્યા હતા તેમનામાં બ્રેઈન એક્ટિવીટી લો લોવલ પર જોવા મળી જેનાથી એક વાત સાબિત થઈ ગઈ કે ChatGPT અને અન્ય કોઈ AI ટૂલ્સ ખાસ કરીને બાળકોના મગજ પર ઉંડી અસર કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે જે બાળકોએ પોતાના મગજનો ઓછો ઉપયોગ કરીને નિબંધ લખવા માટે ChatGPTનો ઉપયોગ કર્યો. આ સ્ટુડન્ટ્સે નિબંધ જાતે નહી લખવાને કારણે સ્ટુડન્ટ્સને યાદ રાખવામાં પણ મુશ્કેલી પડી હતી.