Chaturmas 2025 Date: ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે અને ભગવાન શિવ વિશ્વની જવાબદારી લે છે. જો તમે આ સિઝનમાં લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઉતાવળ કરો કારણ કે લગ્ન માટે હવે થોડી જ શુભ તારીખો બાકી છે. 8 જૂનથી 15 નવેમ્બર સુધી શુભ કાર્યો નહિ થઈ શકે.
ક્યારે છે ચાતુર્માસ?
પંચાંગ મુજબ આ વર્ષે ચાતુર્માસ 6 જુલાઈથી દેવશયની એકાદશીથી શરૂ થશે, જે 1 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ મહિનામાં શુભ કાર્યા ન થઈ શકે. જો કે તેની પહેલા ગુરુ 12 જૂનથી અસ્ત થશે અને તેના પુનઃ ઉદય સુધી એટલે કે 9 જુલાઈ સુધી પણ લગ્ન જેવા શુભ કાર્યો પર થઈ શકતા નથી.
ચાર મહિના માટે શુભ કાર્યો બંધ રહેશે
ચાતુર્માસ અને ગુરુ અસ્તની અસર એ થશે કે 8 જૂનથી 15 નવેમ્બર સુધી લગ્ન, સગાઈ જેવા શુભ કાર્યો બંધ રહેશે. આવી સ્થિતિમાં જે લોકો આ સિઝનમાં લગ્ન કરવા માંગે છે તેમણે મે અને જૂનની બાકીની શુભ તારીખોમાં આ આયોજનો કરવા પડશે.
મે જૂન માટે લગ્નના મુહૂર્ત
ચાતુર્માસના 12 દિવસ પહેલા જ લગ્ન માટે શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે. મે મહિનામાં શુભ તારીખો 20, 22, 23, 24, 27 અને 28 છે. જૂનમાં લગ્ન માટે શુભ તારીખો 1, 2, 4, 5, 7 અને 8 છે. તો જે લોકો ચાતુર્માસ પહેલા લગ્ન જેવા શુભ કાર્યો કરી શકે છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.