વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાંક જીવનું દેખાવું શુભતાના સંકેત માનવામાં આવે છે.આવો જાણીયે એ કયા જીવ છે જેનું ઘરમાં દેખાવું અતિ શુભ મનાય છે.
ઘરમાં આ 3 જીવોનું હોવું અતિ શુભ મનાય છે
ઘરમાં કાચબા, પોપટ અને કાળી કીડીઓનું આગમન ધન અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કાચબાને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, પોપટ કુબેર સાથે સંકળાયેલ છે, અને કાળી કીડીઓ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે.

કાચબો:
વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં, કાચબાને શુભ માનવામાં આવે છે, જે ધન, સુખ અને સમૃદ્ધિ લાવે છે.
પોપટ:
પોપટ ધનના દેવતા કુબેર સાથે સંકળાયેલો છે. પોપટને શાંતિ અને ખુશીનું પ્રતીક પણ માનવામાં આવે છે.
કાળી કીડીઓ:
કાળી કીડીઓ જૂથોમાં આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ઘરમાં પૂર્વ દિશામાં કીડીઓનું આગમન એ ધન પ્રાપ્તિનો સંકેત છે.
પતંગિયું
ઘરમાં પક્ષીનું આવવું તેમાં પણ ખાસ કરીને પતંગિયું જોવું પણ શુભ માનવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
મધમાખી
શાસ્ત્ર અનુસાર જો મધમાખી તમારા ઘરની આજુ બાજુમાં મધપુડો બાંધે છે તો તમારે ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. મધપુડો બરકતના સંકેત આપે છે.
ગરોળી
ગરોળી જોવી એ ઘરમાં સમૃદ્ધિ અને વ્યવસાયમાં આર્થિક લાભની નિશાની છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે ગરોળીના દર્શન દુર્લભ હોય છે જો આ દિવસે ગરોળીના દર્શન થઇ ગયા તો મા લક્ષ્મીની કૃપા વરસે છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.