× Special Offer View Offer

કબજિયાતની કાયમી છુટ્ટી થઈ જશે! રાત્રે દૂધમાં આ વસ્તુ ભેળવીને પી જાઓ, પેટમાંથી બધી ગંદકી બહાર નિકળી જશે…

WhatsApp Group Join Now

લોકોનું ખાવાપીવાનું એવું થઇ ગયું છે કે, તેના કારણે પેટને ઘણું સહન કરવાનો વારો આવે છે. જેમાંથી આજકાલ મોટેભાગે થતી સમસ્યા કબજિયાત છે. કબજિયાતના કારણે લોકોને કલાકો સુધી ટોયલેટમાં બેસી રહેવું પડે છે. તો પણ પેટ બરાબર રીતે સાફ થતું નથી અને આખો દિવસ પેટ ભારે ભારે લાગે છે.

મોટાભાગના લોકોને કબજિયાતની સમસ્યા પૂરતી માત્રામાં પાણી ન પીવું, ખાનપાનમાં ફાઇબરની ઉણપ, ફિઝિકલ એક્ટિવિટીની ઉણપ, વધારે સ્ટ્રેસ, યોગ્ય સમયે મળ ત્યાગ ન થવા અને ખાનપાનમાં લેક્સેટિવની ઉણપના કારણે થઈ જાય છે.

અહીં જાણો કઈ રીતે રાતના સમયે દૂધનું સેવન કરવામાં આવે તો કબજિયાતથી રાહત મળી શકે. આ સાથે જ કેટલાક અન્ય ઘરગથ્થુ ઉપાય પણ છે જે કબજિયાતથી રાહત અપાવી શકે છે.

કબજિયાતના લક્ષણો

ટોયલેટમાં જતી વખતે દુખાવો થવો કે પછી વધારે જોર કરવાથી પણ બરાબર રીતે પેટ સાફ ન થવું, પેટ ફૂલેલું લાગવું (Bloating), પેટ ભારે લાગવું, ક્રેમ્પ્સ થવા અને પછી પરાણે પરાણે ટોયલેટ આવું વગેરે કબજિયાતના લક્ષણો છે.

કબજિયાત દૂર કરવા માટે દૂધ

રાતના સમયે ગરમ દૂધમાં ઘી ભેળવીને પી શકાય છે. આ આયુર્વેદિક નુસખો છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. એક કપ ગરમ દૂધમાં એક ચમચી ભરીને ઘી (Ghee) નાખીને મિક્સ કરો અને આ મિશ્રણ પી લો. આ દૂધથી લેક્સેટિવ ગુણ મળ ત્યાગને સરળ બનાવે છે. તેનાથી પાચનને સુધારવામાં ઇફેક્ટ્સ પણ મળે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે થોડા દિવસ દૂધ અને ઘીનું સેવન કરીને જુઓ.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

કબજિયાતના ઘરગથ્થુ ઉપાય

  • કબજિયાતથી રાહત મેળવવા માટે અન્ય કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકાય છે. સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણીમાં 30 મિલી આમળાનો રસ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે. આ પાચનને બુસ્ટ કરે છે અને શરીરને ડિટોક્સિફાય પણ કરે છે.
  • હૂંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા પીવો. આ પાણી પાચનતંત્રને સક્રિય કરે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે.
  • અજમા અને વરિયાળીનું પાણી પણ પેટ સાફ કરવામાં અસર દર્શાવે છે. આ આંતરડામાંથી ગંદકી દૂર કરે છે.
  • તમે 1-2 ચમચી ત્રિફળા પાવડરને હૂંફાળા પાણીમાં ભેળવીને પી શકો છો. પેટની ગંદકી સાફ થવા લાગે છે. આ આયુર્વેદિક પાઉડર પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે.
  • ઇસબગુલ અથવા પ્સિલિયમ હસ્કના બીજનું ચૂર્ણ કબજિયાતની સારવારમાં ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા તેને એક ગ્લાસ ગરમ પાણી સાથે લો.
  • અશ્વગંધા એક પ્રાકૃતિક ઔષધિ છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. તમારે ડૉક્ટરની સલાહ પર તેનો ઉપયોગ કરવો જોઈએ.
  • પપૈયામાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનને સુધારે છે અને કબજિયાત ઘટાડે છે. પેટની અડધાથી વધુ સમસ્યાઓ માટે પપૈયું શ્રેષ્ઠ ઈલાજ છે.
  • હરડે એક કુદરતી ઔષધિ છે જે કબજિયાતની સારવારમાં ઉપયોગી છે. તેનો એક નાનો ટુકડો પાણીમાં પલાળી રાખો અને તેને આખી રાત રહેવા દો. સવારે ઉઠ્યા બાદ તે પાણીને ગાળીને પી લો. તે કબજિયાત દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય હરડેના સૂકા બીજનું ચૂર્ણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા તેને ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતની સમસ્યામાં ફાયદો થાય છે.
  • લીલા શાકભાજી અને ફળો કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર હોય છે. આ સિવાય શાકભાજીમાં પાણીની માત્રા પણ વધારે હોય છે અને તેમાં વિટામિન્સ ભરપૂર હોય છે જે આંતરડાને આરામ આપે છે. તમે ખાસ એ ધ્યાન રાખો કે, તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો. પાણી પીવાથી માત્ર શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે અને પેટ આસાનીથી સાફ થઇ શકે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment