ઉનાળામાં ત્વચા બેજાન થઈ જાય છે. ઉનાળામાં ગરમીના કારણે ડલ પડેલી ત્વચાને જો રીપેર કરવી હોય અને ત્વચા પર ગ્લો વધારવો હોય તો એવી વસ્તુઓની ડાયટમાં સામેલ કરો જે કોલેજનની માત્રા વધારે.
કોલેજન એવું પ્રોટીન છે જે ચેહરા પર નેચરલ ગ્લો વધારે છે સાથે જ કરચલીઓ અને ડલનેસને પણ વધતા રોકે છે. ગરમીમાં સ્કીનનું ખાસ ધ્યાન રાખવા માટે તમારે વધારે કંઈ કરવાની પણ જરૂર નથી.

ગરમીમાં જો તમે આ 5 શરબતને પોતાની ડાયટમાં સામેલ કરી લેશો તો શરીરમાં કોલેજન 100 ની સ્પીડે વધશે. આ 5 શરબત પીવાથી તમને ડબલ ફાયદા થશે. પહેલો ફાયદો કે ગરમીમાં શરીરને ઠંડક મળશે અને બીજો સૌથી મોટો ફાયદો કે ત્વચામાં કુદરતી રીતે કોલેજન વધશે જે તમારી સુંદરતાને પણ ઝડપથી વધારશે.
વરીયાળીનું શરબત
વરીયાળીના શરબતને ઉનાળાનું અમૃત કહેવામાં આવે છે. ઉનાળામાં વરીયાળીનું શરબત પીવાથી શરીરને ફાયદા થાય છે. તેનાથી પેટની ગરમી ઓછી થાય છે અને પાચન સંબંધિત સમસ્યા પણ શાંત થાય છે. વરીયાળી નું શરબત પીવાથી શરીરમાં કોલેજનની માત્રા વધે છે.
બિલાનું શરબત
ઉનાળામાં બિલાનું શરબત પીવું પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે કોલેજન પણ વધારે છે. બિલાનું શરબત પીવાથી ત્વચા અંદરથી ગ્લો કરે છે. આ શરબત પીવાથી શરીરને એનર્જી પણ મળે છે. સાથે જ શરીર અંદરથી ઠંડુ રહે છે.
લીંબુ શરબત
લીંબુ શરબત પણ શરીર અને સ્કીન માટે ફાયદાકારક સાબિત થશે. વિટામીન સી થી ભરપુર લીંબુ શરબત શરીરમાં કોલેજન ઝડપથી પોસ્ટ કરે છે. તેનાથી ગરમીમાં શરીરને ઠંડક પણ મળે છે.
ચિયાસીડ્સનું શરબત
ઉનાળામાં જો તમે રિફ્રેશિંગ ફીલ કરવા માંગો છો તો ચિયા સીડ્સનો ઉપયોગ કરો.. એક ગ્લાસ પાણીમાં ચિયા સીડ્સ પલાળી રાખો અને પછી તેમાં લીંબુ અને જરૂર અનુસાર મધ ઉમેરીને પીવાનું રાખો. આ શરબત પીવાથી પણ કોલેજનની માત્રા ઝડપથી વધે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આમ પન્ના
ઉનાળામાં આમ પન્ના નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ ડ્રિંક પીવાથી લૂ પણ લાગતી નથી અને શરીરને ઠંડક મળે છે. આમ પન્નામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે જે શરીરમાં કોલેજનને બુસ્ટ કરે છે. તેને પીવાથી ઘણી બધી સમસ્યાઓ પણ મટે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.