× Special Offer View Offer

દેશમાં હિપેટાઈટિસ બીથી મોતનું પ્રમાણ વધ્યું, 5 વર્ષમાં ગુજરાતમાં 474 લોકોએ ગુમાવ્યો જીવ, જાણો આ રોગ કેવી રીતે થાય છે?

WhatsApp Group Join Now

દેશમાં હેપેટાઈટિસને કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ વાત સામે આવી છે. ગુજરાતમાં હિપેટાઈટિસ બીના કેસ અને તેનાથી થતાં મૃત્યુમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં હિપેટાઈટિસ બીથી ગુજરાતમાંથી 474 વ્યક્તિના મોત થયા છે.

આ પૈકી એપ્રિલથી ડિસેમ્બર 2024 એમ 9 મહિનામાં જ 95 વ્યક્તિએ હિપેટાઈટિસ બી સામે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વ્યક્તિના હિપેટાઈટિસ બીથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને છે.

2019-20માં ગુજરાતમાં હિપેટાઈટિસ બીથી 21 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેની સરખામણીએ 2023-24માં મૃત્યનું પ્રમાણ વધીને 132 થઈ ગયું હતું. હિપેટાઈટિસ બીથી થતાં મૃત્યુમાં 5 વર્ષમાં ૬ ગણો વધારો થયો છે.

સમગ્ર દેશમાં પણ હિપેટાઈટિસ બીથી થતાં મૃત્યનું પ્રમાણ વધવા લાગ્યું છે. 2019-20માં 173, 2020-21માં 139, 2021-22માં 323, 2022-23માં 515, 2023-24માં 972 જ્યારે 2024-25માં એપ્રિલથી ડિસેમ્બર સુધી 607 વ્યક્તિના આ બીમારીથી મોત નીપજ્યા છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આપણા દેશમાં હિપેટાઈટિસ બી, સી, ડી, એનું આટલું ફેલાવાનું કારણ એ છે કે લોકોમાં તેના વિશે કોઈ જાગૃતિ નથી. હિપેટાઈટિસ ‘બી’ સંક્રમિત વ્યક્તિ સાથેના જાતિય સંબંધ, માતા-પિતામાં હોય તો નવજાત બાળકને, રક્ત ચઢાવતી વખતે યોગ્ય પરિક્ષણ કરાવાયું ના હોય તો તેનાથી થઈ શકે છે.

હિપેટાઈટિસ ‘બી’થી લિવરના કેન્સર થવાનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત તે વકરી જાય તો લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હિપેટાઇટિસ બી સાયલન્ટ કિલર છે મોટાભાગના કિસ્સામાં હિપેટાઇટિસ બીના લક્ષણો પ્રારંભિક તબક્કામાં જોવા મળતા નથી. લક્ષણો સામે આવવાનું થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય તેવું પણ બને છે. જે પણ વ્યક્તિના પરિવારમાં હિપેટાઇટિસ બી હોય તેના પ્રત્યેક સદસ્યે હિપેટાઇટિસ બી અંગેનો ખાસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

જે વ્યક્તિ રક્ત સાથે સંકળાયેલી હોય જેમકે સર્જન-બ્લડ બેંકમાં કામ કરનારાઓએ આ વેક્સિન લેવી ખાસ હિતાવહ છે. પ્રત્યેક વ્યક્તિ હેલ્થ ચેક અપ કરાવે ત્યારે તેણે હિપેટાઇટિસ બી અંગેનો ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment