Diabetes Symptoms: ડાયાબિટીસ ઝડપથી ફેલાતી બીમારી છે. જ્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય અને આપણું શરીર તેને સોષવા માટે પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ન કરી શકે તે સ્થિતિમાં હાઈ બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસ થયું કહેવાય. ડાયાબિટીસ ખરાબ લાઈફસ્ટાઈલ અને આહાર સંબંધિત બીમારી છે. એક વખત ડાયાબિટીસ થઈ જાય તો પછી તેને મટાડી શકાતું નથી.
ડાયાબિટીસ એક બીમારી નથી તેની સાથે કિડની, હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. ડાયાબિટીસના કારણે ઘણી વખત લોકોને આંખો સંબંધિત સમસ્યા, નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યા અને કિડનીની તકલીફ પણ થઈ જતી હોય છે. તેથી જ જરૂરી છે કે ડાયાબિટીસના દર્દી સમયે સમયે પોતાનું ચેકઅપ કરાવતા રહે.

જો કોઈ વ્યક્તિની લાઈફસ્ટાઈલ ખરાબ હોય અને તેને આ 4 લક્ષણો રાત્રે જોવા મળે તો તેને પણ પોતાનું બ્લડ સુગર લેવલ ચેક કરાવી લેવું જોઈએ.
રાત્રે જણાતા ડાયાબિટીસના લક્ષણો
હાથ પગમાં ઝણઝણાતી
હેલ્થ એક્સપર્ટ અનુસાર જો રાતના સમયે હાથ કે પગમાં દુખાવો કે ઝણઝણાટીનો અનુભવ થતો હોય તો તે ડાયાબિટીસનું સંકેત હોઈ શકે છે આવી સ્થિતિમાં બેદરકારી રાખવી નહીં અને તુરંત જ બ્લડ સુગર લેવલ ચેક કરાવવું.
રાત્રે વધારે તરસ લાગવી
રાતના સમયે તરસ લાગે તે સામાન્ય છે પરંતુ વારંવાર તરસ લાગે અને વારંવાર પેશાબ કરવા જવું પડે તો તે ડાયાબિટીસ શું લક્ષણ હોઈ શકે છે.ક્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે તો આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે તેના કારણે વારંવાર તરસ લાગે છે.
સૂતી વખતે વધારે પડતો પરસેવો
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો તમે પંખા, એસી કે કુલરમાં સુવો છો તેમ છતાં રાત્રે તમને વધારે પડશો થાય છે તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે તો શરીરમાંથી પરસેવો વધારે બહાર નીકળે છે. આવું રાતના સમયે વધારે થાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વારંવાર પેશાબ
ડોક્ટરોના જણાવ્યા અનુસાર રાત્રે વારંવાર પેશાબ આવવો પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. બ્લડ સુગર લેવલ વધી જવાથી કિડની પર પેશાબ બહાર કાઢવાનું પ્રેશર બને છે. તેથી વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય છે. આવી સ્થિતિમાં પણ બ્લડ સુગર લેવલ તુરંત ચેક કરવું.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










